SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકપૂરપ્રકરપટ્ટાથમિક ४४७ . * * એ પામ્યા. મહાતમા હતા. ત્ય વીર સ્વામીના પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામી હતા. તેમને પ્રભુ શ્રીમહાવીરદેવની ઉપર અત્યંત રાગ હતું. તેથી તેમને કેવલજ્ઞાન થતું નહોતું. જો કે પ્રભુના ઉપરને રાગ વખાણવા લાયક છે તે છતાં ગૌતમસ્વામીને રાગ વખાણવા લાયક થયો નહિ. કારણ કે તે અત્યંત આસક્તિ રૂપ હતું. તેથી તે રાગ વ્યસન રૂપ બની ગયે. કારણ શ્રીગૌતમસ્વામીના હાથે જેમણે દીક્ષા લીધી તેઓ કેવલજ્ઞાન પામી મોક્ષના સુખ પામ્યા. પણ એજ રાગને લઈને તે શ્રીગૌતમસ્વામી કેવલી ન થયા. શ્રી મહાવીર પ્રભુએ પણ પિતાના અંતકાળ વખતે વિશેષ લાભ જાણીને ગૌતમસ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા બીજે ગામ મેકલ્યા હતા. ત્યાંથી જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે રસ્તામાં જાણ્યું કે શ્રી મહાવીરદેવ નિર્વાણ પામ્યા. તે વખતે રાગને લીધે પ્રથમ તો વિલાપ કર્યો. પરંતુ છેવટે તે વીતરાગ શબ્દની વિચારણા કરતાં રાગ રહિત થઈને કેવલજ્ઞાન પામ્યા. માટે પ્રભુ પ્રત્યેને પણ અત્યંત - રાગ વખાણવા લાયક નથી. વળી બીજું દષ્ટાન્ત આપતાં કવિરાજ જણાવે છે કે કેશાગુરૂ એટલે જેણે કશા નામની વેશ્યાને ધ પમાડીને શ્રાવિકા બનાવી, તે શ્રીસ્થલિભદ્ર નામના મુનિએ કરેલો અકાલે સ્વાધ્યાય એટલે અભ્યાસ તે પણું વખાણવા લાયક થયે નથી. કારણ કે સ્વાધ્યાય કરો તે સારું કાર્ય હોવાથી વખાણવા લાયક છે, પરંતુ અકા કરતાં તે વ્યસનરૂપ બને છે, તેથી તે વખણાતું નથી. એમ જાણીને અતિ આસતિને ત્યાગ કરે. કારણ કે અતિ આસક્તિ વ્યસન રૂપ બની જાય છે. અહી દષ્ટાંત આપતાં જણાવે છે કે સુવર્ણ એટલે સોનું સંરું છે પરંતુ તે જે પરાથી મિશ્ર હોય તો છે ? 1 . . .
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy