SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકરમકરસ્પાર્ધાદિક ૪૨૯ આવેલ ગંધ જ્યાં ત્યાં થકી દુખ ઘે મરણ આપે અને, ચાણક્યની બુદ્ધિ વડે દુખિયે સુબંધુ ગંધને સૂધતાં શુભ ગંધ રાગે સપ પામે કલેશને, ભ્રમર પામે કલેશ કેશે કમલના સપડાઈને. ૧ - કલેકાર્થ –જ્યાં ત્યાંથી આવેલે પણ અન્ય દુઃખને. માટે તેમજ નાશને માટે થાય છે. તેથી ચાણક્યની બુદ્ધિથી પીડાએ સુબંધુ નામે મંત્રી તમારા સાંભળવામાં નથી આવ્યો? જુઓ અહંકારવાળે પણ સર્ષ પુષ્પના સુગંધમાં આસક્ત થએલો (ગારૂડીથી બંધન પામી) કલેશને પામે છે. તેમજ ગંધમાં અતિ તૃષ્ણાવાળો ભમરે સાંજે કમલના કેશના બંધનને પામે છે. ૧૦૦ સ્પષ્ટા –હવે ગને વિષે આસક્ત થનારને તે ગંધ દુઃખ આપનાર તેમજ નાશ એટલે મૃત્યુને માટે પણ થાય છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે સુબંધુ નામે મંત્રીએ ચન્દ્રગુપ્તના પુત્ર બિન્દુસાર રાજાને ચાણક્યની ઉપર સ્નેહ રહિત કર્યો. તે વખતે ચાણક્ય તે વાત જાણીને સુબંધુને પિતાની બુદ્ધિ વડે પરાભવ કરવા માટે તાલપુટ ઝેરને સુગંધીમાં વીંટીને તેની પિટલી મોટી પેટીમાં નાની પેટી એ પ્રમાણે સાતમી પેટીમાં મૂકીને પોતે ઘર છોડીને અનશન કર્યું અને મરણ પામ્યા. સુબંધુએ રાજા પાસેથી ચાણક્યનું ઘર માગી લીધું. તેમાંથી તેણે તે સુગંધીદાર પેટીમાં મૂકેલી પિટલી સુંઘી જોઈ. તે પોટલી ઉપર ભાજપત્રમાં લખ્યું હતું
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy