SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શ્રીવિજયપરિકૃત આ પ્રમાણે દરરેજ પરમ પ્રીતિ પૂર્વક કરતા રાજાએ તીર્થકર નામકર્મ બાંધ્યું. તે આવતી ચોવીશીમાં પદ્મનાભ - નામે પહેલા તીર્થકર થશે. ઈતિ શ્રેણિક કથા છે અવતરણ–આ કલેકમાં પણ પૂજાનું ફલ કહે છે – (સ્વાતિવૃતમ્) स्याजिनार्चनकृतस्त्रिकशुद्धया, शं विपद्यपि यथा दवदन्त्याः । ૮ ૧૨ ૧૦ ૧૧ ૯ ૧૦ ૧૭ ૧૭ ૧૫ ૧૬ ૧૪ स्वस्तरुः फलति किं न हि रोरे, नेन्दुरस्यति तृषं नचकोरे॥७५॥ ભાવથી જિન પૂજતાં આપત્તિમાં પણ સુખ મળે, દમયંતીને જિમ કલ્પતરૂ નિર્ધન તણા ગેહે ફળે; શું ના અને ના દૂર કરતે તરસ ઇંદુ ચારની, ચંદ્ર સુરતના સમી શુભ પૂજના જિનરાજની. ઉ૫ લોકાર્થ-ત્રિકરણ શુદ્ધિથી જિનેશ્વરની પૂજા કરવાથી દમયન્તીની જેમ સંકટમાં પણ સુખ થાય છે. કલ્પવૃક્ષ નિર્ધન માણસને શું ફલ આપતું નથી ? વળી ચંદ્રમા શું ચર પક્ષીની તરસને દૂર નથી કરતા? અર્થાત્ કરે જ છે. ૭૫ સ્પષ્ટાર્થ –કવિરાજ જીનેશ્વરની પૂજાનું ફલ જણાવતાં કહે છે કે જેઓ ત્રિકરણ શુદ્ધિ વડે એટલે નિર્મલ મન વચન અને કાયાથી અથવા મનથી શુભ ભાવ પૂર્વક, વચનથી ઉપયોગ પૂર્વક બોલવાથી અને શરીરને શુદ્ધ કરીને જિનેશ્વરની પૂજા કરે છે તેમને સંકટમાં પણ સુખની પ્રાપ્તિ થાય છે. અથવા જિનેરની ત્રિકરણ શુદ્ધિ પૂર્વક પૂજા કરનારા ભવ્ય
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy