SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાદિ: ૩૨૧. લાયક છે જ. અહીં કઈ પ્રશ્ન કરે છે કે પૂર્વ કાલની સાથ્વી એ પૂજનીય હતી તેથી આ કાલની સાધ્વીઓ કઈ રીતે પૂજનીય કહી શકાય? તે તે પ્રશ્નના જવાબમાં જણાવે છે કે–જેમ પૂર્વ કાલીન વ્રતધના એટલે વ્રત છે ધન જેણનું એવી સાધ્વીઓ ધન્ય અને પૂજનીય છે તેમ આ કાલની સાધ્વીઓ પણ ધન્ય અને પૂજનીય છે. દષ્ટાન આપતાં જણાવે છે કે ચાકિની નામની મહત્તા સાધ્વીએ વાદિઓમાં મુકુટ સમાન શ્રેષ્ઠ એવા શ્રીહરિભદ્રસૂરિને માત્ર વાણીથી એટલે “ચવિહુ પિUT રવજી જ કરવો જવાબ એવા પ્રકારના વચનને અર્થ સમજાવીને પ્રતિબંધ પમાડા હતે. માટે સાધ્વીઓ પણ પૂજનીય એટલે જરૂર વંદન અને ભક્તિ કરવા લાયક છે. ૬૯ શ્રી કુબેરદત્તા સાધ્વીની બીના ટૂંકામાં આ પ્રમાણે-- મથુરા નામની નગરીમાં વસન્તતિલકા નામે વેશ્યા રહેતી હતી. ગર્ભવંતી એવી તેણીએ એક વાર પુત્ર અને પુત્રી રૂ૫ યુગલને જન્મ આપે. જન્મેલાં એવાં તે બંને બાળકને પિતાના નામની વટી બાંધીને પિટીમાં પૂરીને તે પિટી જમના નદીમાં તરતી મૂકી દીધી. નદીમાં તણાતી તે . પેટી શૌર્યપુર નગર પાસે આવી પહોંચી. અને ત્યાં રહેલા બે શેઠીયાઓએ તે પેટી લઈ લીધી. પેટી ઉઘાડી તો તેમાંથી બે બાળકો નીકળ્યાં. તેમાંથી એક શેઠે બાળકને ગ્રહણ કર્યો, ને તેનું નામ કુબેરદત પાડયું. બીજા શેઠે પુત્રી લીધી ને તેનું નામ કુબેરદત્તા પાડ્યું. સુખે સુખે વૃદ્ધિ પામતા તે બંને યુવાવસ્થા પામ્યા. ત્યાર પછી ભાગ્ય યોગે તે બે શેઠ ૨૧
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy