SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીક પ્રકરઃ ૧૭ તેને પેાતાના હૃદયને વિષે ધારણ કર્યાં ત્યારે તેની શૈાભા ઘણી વધી ગઈ. આ હિરનું હૃદય પણ કેવું છે તે જણાવે છે. કમલા એટલે લક્ષ્મી. તે લક્ષ્મીનું રહેઠાણુ છે જેને વિષે એવું હરિનું હૃદય છે, અથવા હિરના હૃદયને વિષે લક્ષ્મી રહી છે અને તે સ્થળે કૌસ્તુભમણિને ધારણ કર્યો તેથી તે ણિની શાલા અનેક ગણી વધી ગઈ. આ શ્લાકનુ રહસ્ય એ છે કે જીવ લઘુકી હોય તેમજ ધર્મ બુદ્ધિવાળા હોય તે છતાં જો તે ખારા સમુદ્ર સમાન માનાર્ય દેશને આશ્રય કરે ત્યાં સુધી તેના ઉત્તમ જ્ઞાનાદિ ગુણે! વધતા નથી અથવા ત્યાં સુધી તે જીવ પેાતાની ઉન્નતિ સાધી શકતા નથી. પર ંતુ, તેજ જીવ જો આર્ય દેશના આશ્રય લે, તે તે આર્ય દેશના માહાત્મ્યથી તે જીવની પણ ચદ્ર અને કૌસ્તુભમણુિની પેઠે અનેક ગણી શાભા વધે છે, એટલે કે તે જીવ સમકિત આર્દિ ગુણાની પ્રાપ્તિ રૂપ ઉત્તમ શાભાને પામે છે. ૩ આ ખાળતમાં અનાર્ય દેશમાં જન્મેલા લઘુકમી આર્દ્ર - કુમારનું દ્રષ્ટાન્ત ટુંકાણમાં આ પ્રમાણે જાણવું— મગધ દેશમાં રાજગૃહ નામના નગરમાં શ્રેણિક નામે રાજા હતા તે રાજાને મહા બુદ્ધિશાલી અભયકુમાર નામના પુત્ર હતા અને તે બુદ્ધિશાલી હાવાથી મત્રીશ્વર થયા હતા. આ શ્રેણિક રાજાને સમુદ્રની મધ્યમાં આવેલા આ ક નામના દેશમાં આ ક નામના રાજાની સાથે કુલ પર પરાની મૈત્રી હતી. આ રાજાને આ કા નામે રાણી હતી અને આ કુમાર નામે પુત્ર હતા. એક વખત શ્રેણિક રાજાએ પેાતાના મંત્રીને અદ્ભૂત ભેટા સાથે આર્દ્ર ક રાજા પાસે મેાકલ્યા. તે મત્રીએ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy