SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ २८१ શ્રીવિજયપદ્યસૂરિકૃતઅને કીર્તિને વધારનારું થાય છે, વિજા વડે દેદીપ્યમાન - ભરત ચક્રવર્તીના પુણ્ય અને યશને ફેલાવનાર અષ્ટાપદ પર્વતને આજ સુધી કોણે નમસ્કાર કર્યો નથી? ૬૧ , સ્પષ્ટાર્થ –કવિરાજ તીર્થ (ચિત્ય)ની સ્થાપના કરનાર ભવ્ય જીને બીજા પણ કયા કયા લાભ થાય છે. તે જણાવે છે–પ્રથમ તીર્થકર શ્રીષભદેવના પુત્ર બાહુબલી વગેરેની જેમ વિવિધ તીર્થની સ્થાપના કરનારની લક્ષ્મી - સ્થિર બને છે. તેમજ તે તીર્થ તેના પુણ્યને અને કીતિને વધારનારૂં પણ થાય છે. માટે ભવ્ય જીવોએ પિતાના ધનને તીર્થ સ્થાપનામાં પણ જરૂર સદુપયેગ કરવો જોઈએ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે રાષભદેવના જ પુત્ર ભરત ચક્રવતીએ ધ્વજાઓ વડે દેદીપ્યમાન અને આ. અવસર્પિણી કાળમાં થએલા ચોવીસે જિનની પ્રમાણે પેત પ્રતિભાવાળું જે તીર્થ સ્થાપ્યું તે તીર્થને કોણે નમસ્કાર કર્યો નથી? અથવા ઘણું છાએ આ અષ્ટાપદ તીર્થને નમસ્કાર કર્યો છે. આ તીર્થથી ભરત ચક્રવર્તીના પુણ્ય અને યશ ચારેતરફ ફેલાયા. આ પ્રમાણે તીર્થને મેટે મહિમા છે. ૬૧ શ્રી બાહુબલીની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી-- તક્ષશીલા નામની નગરીમાં મહા પરાક્રમી શ્રી ઋષભજિનેશ્વરના પુત્ર બાહુબલી રાજા રાજ્ય કરતા હતા. એકવાર : છઘસ્થ અવસ્થામાં શ્રી આદિનાથ પ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે નગરીના બહારના ઉદ્યાનમાં સમેસર્યા. માળીએ તે હકીકત બાહુબલીને જણાવી. તેથી પ્રસન્ન થએલા તે રાજાએ તેને ચામર
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy