SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકŞરપ્રકરસ્પષ્ટાર્થીદિ: २८३ દૂધ આપીએ તે પણ તે તેના વિષની વૃદ્ધિ કરનારૂં થાય છે. તીર્થંકર પ્રથમ પાત્ર, મુનિરાજે બીજું પાત્ર, દેશવિરતિ ત્રીજુ પાત્ર અને સમકિતી ચાથું પાત્ર ગણાય છે. માટે પંડિતેઓ આ ચારને વિષે પિતાની લક્ષ્મી જરૂર વાપરવી જોઈયે જેથી મોક્ષ મળે છે. હીન દીનને આપેલું દાન પ્રાણના રક્ષણ માટે અને કીર્તિદાન કાંઈક ભેગ ફલને આપનારૂં થાયછે. પરંતુ કુપાત્રને આપેલું દાન આ લેકમાં ધનના નાશ. માટે અને જિનાજ્ઞાના ભંગ રૂપ હોવાથી સંસારને વધારનારૂં થાય છે. માટે કુપાત્રને ધનદાન કરવાથી ધર્મ સધાતો નથી. આ પ્રમાણે જિનધર્મના રાગી જિનદાસે કહ્યું, ત્યારે . વિવેક વિનાના સુમિત્રે કહ્યું કે હે મિત્ર! દાનમાં ચતુર પુરૂષે પાવાપાત્રને વિચાર કરે નહિ. શું વર્ષ તો મેઘ પાત્રાપાત્રને વિચાર કરે છે? અર્થાત્ નથી કરતો. તે છતાં શું તે દાની નથી ગણતો? ગણાય છે. માટે દાનમાં યાત્રાપાત્રને વિચાર કરવાની જરૂર નથી. આવું સાંભળીને જિનદાસે વિચાર્યું કે ઉપદેશ કરવાથી શું ફલ? આવું વિચારી તે મૌન રહ્યો. આ પ્રમાણે વિવેક વિના દાન આપીને સુમિત્રે કાંઈક ભેગ ફલવાળું કર્મ બાંધ્યું. અંતે મરણ પામીને ભૃગુકચ્છ નગરના કીર્તિપાલ રાજાને રમણીય પટ્ટતુરંગમ એટલે ઘેડ થયે. જિનદાસે પણ અનુક્રમે દીક્ષા લીધી. અને વિસ સ્થાનકની . આરાધના કરી સમાધિ મરણ પામી અનુક્રમે વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થકર થયા. આ તરફ ભૃગુકચ્છમાં ઉત્પન્ન થએલ તે ઉત્તમ ઘોડાને.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy