SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત àાકા :-ધનવાન પુરૂષ સાતે પણ ક્ષેત્રમાં પુણ્યની પુષ્ટિ માટે સમ્પ્રતિ રાજાની જેમ ધન વાવે ( વાપરે ). દૃષ્ટાન્ત કહે છે-જે ખેડુત સમસ્ત ધાન્યની ઈચ્છાવાળા હાય તે શું એકલા શાલિને ( ડાંગરને ) વાવે ? અર્થાતુ ન વાવે એટલે ઘણા પ્રકારના ધાન્યને વાવે. પપ ૨૬૮ સ્પા :—હવે સાત ક્ષેત્રના દ્વારનું વર્ણન કરે છે, તેમાં ૧ જિનમિંખ, ૨ ચૈત્ય, ૩ જ્ઞાન, ૪–૭ સધ એટલે ૪ સાધુ ૫ સાધ્વી ૬ શ્રાવક છ શ્રાવિકા એમ સાત પ્રકારનાં ક્ષેત્ર કહ્યાં છે. ધનવાન પુરૂષ સમ્મતિ નામના રાજાની જેમ ઉપર ગણાવેલાં સાતે પણ ક્ષેત્રમાં પુણ્યની પુષ્ટિને માટે અથવા વૃદ્ધિને માટે ધન વાવે છે. જેમ યાગ્ય ક્ષેત્રમાં વાવેલુ ધાન્ય તે વાવનારને વાવ્યા કરતાં અનેક ગુણા ધાન્યરૂપી ફૂલને આપનારૂ' થાય છે તેમ આ સાત ક્ષેત્રામાં વાવેલુ એટલે વાપરેલુ ધન પણ ઘણાં પુણ્યની પુષ્ટિ માટે થાય છે. માટે ધનવાન પુરૂષે પણ પોતાના ધનના આ સાત ક્ષેત્રમાં ધન વાપરીને ઉપયોગ કરવા. જેથી તેમને અનેકગણું (બહુ) ફળ મળે. આ સાતે ક્ષેત્રમાં પેાતાનુ દ્રવ્ય વાપરીને સમ્મતિ રાજાએ પણ ઘણા પુણ્યને ઉપાર્જન કર્યું હતું. અહી એવી શંકા થાય કે શું એક ક્ષેત્રમાં ધન વાપરવાથી પુણ્યની પુષ્ટિ ન થાય કે જેથી સાતે ક્ષેત્રમાં વાપરવાનું કહ્યું? તેા તેના વાળમાં કવિરાજ દૃષ્ટાન્ત આપીને સમજાવે છે કે જે ખેડુતને સઘળા પ્રકારના ધાન્ય મેળવવાની ઈચ્છા છે તે ખેડુત શું એકલી ડાંગરજ વાવે છે? અથવા સમસ્ત પ્રકારના અનાજની ઈચ્છાવાળા ખેડુત જો અનેક પ્રકારનું ધાન્ય
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy