SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કરમકરસ્પષ્ટાર્થીદિ: ૧૮૭ આ પ્રમાણે એકઠા થયેલા લેકની આગળ કથા કહીને અભયકુમારે પૂછ્યું કે માળી, ચોર, રાક્ષસ અને પતિમાંથી સૌથી દુષ્કરકારક કણ? ત્યારે જાર પુરૂષો કહેવા લાગ્યા કે માળી દુષ્કરકારક કહેવાય, ભૂખ્યાઓ કહેવા લાગ્યા કે રાક્ષસ દુષ્કરકારક કહેવાય, ઉપપતિઓએ કહ્યું કે પતિ અને ત્યાં આવેલા કેરીના ચેરે કહ્યું કે ચારે. ત્યારે મંત્રીએ પણ તેને ચાર જાણુને કહ્યું કે તે બગીચામાંથી કેરીઓ કેમ ચેરે છે. ત્યારે ચરે પણ સાચી હકીકત કહીને કહ્યું કે હું વિદ્યાના બળથી ચોરૂં છું. અભયકુમારે પણ તેને પકડીને શ્રેણિક રાજાને સેં. અને તેની હકીક્ત કહી. ત્યારે રાજાએ કહ્યું કે, સામાન્ય ચેર હોય તે તેની પણ ઉપેક્ષા ન કરાય તો આવા શક્તિશાળીની ઉપેક્ષા કેમ કરાય? માટે તેને સજા કરે. ત્યારે અભયકુમારે કહ્યું કે હે પિતાજી ! પ્રથમ એની પાસેથી વિદ્યા ગ્રહણ કરે, પછી ઉચિત કરીશું. તેથી ચેરને પિતાની સામે બેસાડી શ્રેણિક રાજા વિદ્યા ગ્રહણ કરવા લાગ્યા. પરંતુ સિંહાસન ઉપર બેઠેલા રાજાને ભણાવ્યા છતાં તે વિદ્યાઓ હદયમાં સ્થિર થઈ નહિ. તેથી ચોરને કહ્યું કે તે વિદ્યા બરાબર શીખડાવતા નથી પણ ટૅગ કરે છે. ત્યારે અભયકુમારે કહ્યું કે વિદ્યા ગુરૂની આગળ વિનય કરનારને વિદ્યા આવડે છે. જે તેથી રાજાએ માતંગને સિંહાસન ઉપર બેસાડે અને પોતે બે હાથ જોડીને સામે વિદ્યાથીની જેમ ઉભે રહ્યો, એટલે અવનામિની અને ઉન્નામિની નામની વિદ્યાઓ તરત શીખે. માટે જ કહ્યું છે કે “વિનય વિના વિદ્યા હિ” ત્યાર પછી અભયકુમારે આ વિદ્યાગુરૂ હેવાથી સજા કરવા લાયક નથી એમ કહી ચેરને છોડાવ્યું. વિદ્યાવાળે છતાં ચેારી કરવાથી
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy