SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકપૂ રપ્રકરસ્પષ્ટાદિઃ ૧૬૫ યાદવા નાસીને દેવાએ કરેલી પશ્રિમ સમુદ્રના કાંઠે આવેલી દ્વારકા નગરીએ આવ્યા. અને કૃષ્ણને રાજા મનાવી ઉત્કૃષ્ટ વૃદ્ધિને પામ્યા. ત્યાર પછી યુદ્ધ કરવાને ત્યાં આવેલા જરા સધરાજાને મારીને કૃષ્ણ અધ ભરતના અધિપતિ વાસુદેવ થયા. ** ક્રીડા કરતા શ્રીનેમિનાથ માળપણું આળગીને યુવાવસ્થાને પામ્યા. તે વખતે શીવાદેવી તથા સમુદ્રવિજયે તેમને લગ્ન કરવાનું કહ્યું. તે સાંભળીને પ્રભુએ તમને જેમ સુખ થાય તેમ કરીશ એવું કહ્યું. એક વાર પ્રભુ શ્રીનેમિનાથ કૃષ્ણની આયુધશાળામાં ક્રીડા કરવા ગયાં. ત્યાં તેમણે કૃષ્ણને પાંચજન્ય નામને! શંખ એવી રીતે પૂર્યા (વગાડયા) કે જેથી સભામાં બેઠેલા વાસુદેવ વગેરે પણ ચમકી ગયા. સભ્રાન્ત થએલા વાસુદેવ ‘ આ શું ? એમ ખલદેવને પૂછે છે ત્યારે સિપાઇએ આવીને કહ્યુ કે નેમિનાથે શંખ વગાડયા છે. આ આપણા કુલમાં નવા ચક્રી ઉત્પન્ન થયાં છે એમ ખેલતા કૃષ્ણ યુધશાલામાં આવ્યા. પછી કૃષ્ણે નેમિનાથના મળની પરીક્ષા કવા માટે કહ્યું કે તમે મારી આ ભુજાને વાળા. તે વખતે નેમિનાથે કમળના નાળને હાથી વાળે તેમ સૉલાઇથી તેમની ભુજા વાળી નાખી. પછી નેમિનાથે પેાતાની સુજા લાંબી કરી તેને કૃષ્ણે વાળવા માટે ઘણા પ્રયત્ન કર્યો. પરંતુ તે વાળી શકયા નહિ. કૃષ્ણ તે વખતે વાનરની જેમ ત્યાં લટકી રહ્યા. પછી નેમિનાથના બળના વખાણુ કરી વિસર્જન કરીને કૃષ્ણે ખલદેવને પૂછ્યું કે આ શું ચક્રવતી થઈ ને મારૂ રાજ્ય લઇ લેશે નહિ ? ત્યારે અલદેવે કહ્યું કે
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy