SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીવિજયપદ્યસૂરિકૃત વ્યકિવાયુધ સમા જનના હૃદયમાં તે રહ્યો; પણ રહ્યો નહિ સંગમાદિક જેહવાના હૃદયમાં, મેરૂગિરિ પર હેય સુરતરૂ પણ નહી મરૂદેશમાં. ૧ ઇંદ્રના દરબારમાં જે હોય ઐરાવણ નહી, તુચ્છ નૃપના દ્વારમાં હાથી સમી કરૂણ કહી; સુરતરૂના જેહ જિનને દયામય ધર્મ છે, પુણ્યવંતા પાલનારા પરમ પદ વરનાર છે. ૨ લોકાર્થ –પ્રાણિઓને વિષે દયા રૂપી ધર્મસર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે. તેથી તે (દયા ધર્મ) શ્રી વજાયુધ ચક્રવતી સરખાના હૃદયમાં રહેલું છે. પરંતુ સંગમદેવ વગેરેના હૃદયમાં રહેલું નથી. કલ્પવૃક્ષ મેરૂ પર્વતની ચૂલિકામાં હોય છે પરંતુ મરૂભૂમિમાં હેતું નથી. વળી ઈન્દ્રના દ્વારને વિષે જે ઐવિણ હાથી હોય છે તે તુચ્છ રાજાને ત્યાં શું હોય? ન જ હોય. ૩૨ સ્પષ્ટાર્થ –હવેકવિરાજ પ્રાણાતિપાત એટલે જીવહિંસા તેનાથી વિરમણ એટલે પાછા ફરવું અટકવું અર્થાત્ જીવહિંસા ન કરવી તેમજ પ્રાણીઓ ઉપર દયા ભાવ રાખ તેનું સ્વરૂપ જણાવતાં કહે છે કે સર્વ ધર્મોને વિષે દયા રૂપી ધર્મ શ્રેષ્ઠ છે. કારણ કે જ્યાં દયા ન હોય તેને ધર્મ કહેવાય જ નહિ. કારણ કે દયા ધર્મનું મૂલ છે અને જ્યાં મૂલજ નહોય તો બીજું તે (થડ, શાખા વગેરે) કયાંથી એ જ હોય? આ ઉત્તમ દયાભાવ શ્રી વજાયુધ ચકવતી | (સોળમા શાતિનાથ ભગવાનના પૂર્વભવને જીવ) જેવા મહાપુરૂષોના હૃદયમાં રહેલો છે. કારણ કે તેમણે પિતાના
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy