SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: - ૧૪૩ મંત્રિઓને મારી નાખીશ. એવા વિચાર કરતા રૌદ્રધ્ધાનવાળે અને કૃષ્ણ લેશ્યાવ ળે તે કંડીક મરણ પામીને સાતમી નારકીમાં ઉત્પન્ન થયે. " પુંડરીક મુનિ તો પિતાનુ ઈષ્ટ સિદ્ધ થવાથી પોતે ગ્રહણ કરેલી દીક્ષા ગુરૂ સાક્ષીએ પાળું” એવું વિચારી સદ્દગુરૂની શોધ કરવા ચાલ્યા. વિહારથી ઉત્પન્ન થએલ પરિશ્રમથી થાકેલા અને આચાર પાલન કરતા તે એક ગામમાં આવ્યા. ત્યાં ઉપાશ્રય પામીને તૃણના સંથારા ઉપર સુખ પૂર્વક બેઠા. હવે હું ગુરૂની પાસે જઈને કયારે દીક્ષા લઈશ? એ પ્રમાણે વિચારતા અતિમકાલની આરાધના કરીને મરીને સર્વાર્થસિદ્ધ દેવ થયા આ પ્રમાણે થોડો વખત પણ સમ્યગ રીતે ચારિત્રનું પાલન કરીને કેટલાક ભવ્ય છે ઉત્તમ ગતિને પામે છે. ત્યારે કેટલાક લાંબે વખત અતિચાર લગાડીને પાલન કરીને પણ શુભ ગતિને પામી શકતા નથી, માટે ભવ્ય જીએ અતીચાર રહિત શુદ્ધ ચારિત્ર પાળી મુકિતના. અવ્યાબાધ સુખ પામવા, એમાંજ માનવ જન્મની ખરી સાર્થકતા છે. છે ઇતિ પુંડરીક કંડરીક કથા છે અવતરણ –હવે કવિરાજ-ખરાબ ભાવનાથી નિર્દોષ આચરેલું વ્રત પણ નિષ્ફળ બને છે તે હકીકત જણાવે છે – | (gāવૃત્ત૬ ) व्रतेन शुचिनापि कि किमथ सद्गुरूपासनैकदायिनृपमारकश्रमणवत्स पापात्मकः ।
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy