SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૭. કૃષ્ણરાજી पंचमकप्पे रिलुमि पत्थडे अट्ठ कण्हराईओ । . समचउरंसक्खाडयठिइओ दो दो दिसिचउक्के ॥१४४१॥ પાંચમા દેવલોકના શિષ્ટ પ્રતરે આઠ કૃષ્ણરાજીઓ છે. જે સમરસ અખાડાના આકારે રહેલી તથા ચારે દિશામાં બે-બે છે. પાંચમા બ્રહ્મલેક નામના દેવલોકમાં ત્રીજા રિઝ નામના પ્રતરમાં આઠ કૃષ્ણરાજીએ છે. કૃષ્ણરાજી એટલે ભીંતના આકારે રહેલી સચિત્ત-અચિત્ પૃથ્વી પરિણામરૂપ, પુલ વિશેની પંક્તિઓ છે. તે પક્તિઓ સમરસ છે. એટલે બધી દિશાઓમાં ચારે ખૂણાઓ સરખા હોય, તે સમરિસ કહેવાય. આથી તે કૃષ્ણરાજીઓ અખાડાના આકારની લાગે છે, અખાડે. એટલે જેવાના (નાટક વગેરે)ના સ્થાનમાં બેસવાના , આસન વિશે, તે અખાડા કહેવાય-એમ પ્રજ્ઞપ્તિની ટીકામાં વ્યાખ્યા કરી છે. ' ' હવે અખાડાના આકારે પૂર્વ વગેરે ચારે દિશામાં બે-બે કૃષ્ણરાજીએ આ પ્રમાણે રહી છે. પૂર્વ દિશામાં ઉત્તર-દક્ષિણમાં બે, દક્ષિણ દિશામાં પૂર્વ-પશ્ચિમમાં બે, ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમમાં બે અને પશ્ચિમમાં ઉત્તર-દક્ષિણમાં બે-એમ બધી તિર્જીવિસ્તારવાળી છે. (૧૪૪૧) 'હવે તે કૃષ્ણરાજનું જ સ્વરૂપ કહે છે. पुत्वावरउत्तरदाहिणाहि मज्झिल्लियाहि पुट्ठाओ। .. કાળિયારyવા સારા વહિયારા ૪જરા . પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણદિશામાં વચ્ચે રહેલી કૃષ્ણરાજીવડે અનુક્રમે દક્ષિણ, કે ઉત્તર, પૂર્વ, પશ્ચિમદિશામાં બહાર રહેલી કૃષ્ણરાજીઓને સ્પર્શ કરાય છે. આને ભાવાર્થ એ છે કે . . .' ' . ' ' ', ' -' ' . પૂર્વ દિશામાં અંદર રહેલી કૃષ્ણરાજી દક્ષિણ દિશામાં બહાર રહેલ કૃષ્ણરાજીને સ્પર્શે છે. એ પ્રમાણે દક્ષિણમાં અંદર રહેલી કૃષ્ણરાજ પશ્ચિમની બહાર રહેલ કૃષ્ણરાજીને - પશે છે. પશ્ચિમમાં અંદર રહેલી ઉત્તરમાં બહાર રહેલીને સ્પર્શે છે. " ઉત્તરમાં અંદર રહેલી પૂર્વમાં બહાર રહેલીને સ્પર્શે છે. (૧૪૪૨) 'એની સ્થાપના આ પ્રમાણે છે. અને ખૂણાને વિભાગ આ પ્રમાણે થાય છે. पुव्वावरा छलंसा तंसा पुण दाहिणुत्तरा बज्झा ।. अभंत्तरचउरंसा: सव्वावि य कण्हराईओ ॥१४४३।।
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy