SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮. નારકેની લેગ્યા ૨૩૧ છે. તમ પ્રભામાં ફક્ત કૃષ્ણલેશ્યા છે. અને તમામ પ્રભામાં અતિસંફિલષ્ટતમ કૃષ્ણલેશ્યા જ છે. પ્રશ્ન :- અહીં કેટલાક કહે છે કે નારકોને તથા આગળ કહેવાશે એ દેને બાહ્યવર્ણરૂપ દ્રવ્ય લેશ્યાઓ જ જાણવી. એમ ન હોય તે સાતમી પૃથ્વીના નારકેને જે સમકિત પ્રાપ્તિ આગમમાં કહી છે, તે ઘટશે નહીં. કારણ કે તેજલેશ્યા વિગેરે ત્રણ લેશ્યાઓમાં જ તે સમક્તિ પ્રાપ્તિ કહી છે. આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે – “સમય તિ, કરિમાણુ પરિઝમાળો રોફ, पुव्व पडिवन्नओ पुण अन्नयरीए उ लेसाए । १ । સમ્યક્ત્વને સ્વીકારનાર ઉપરની એટલે પાછળની ત્રણ લેશ્યામાં હોય છે અને પહેલા સ્વીકારી લીધેલ કેઈપણ લેગ્યામાં હોઈ શકે. ઉપરની એટલે પાછળની ત્રણ લેશ્યા તેમને હોતી નથી. કારણ કે સાતમી પૃથ્વીમાં કૃષ્ણલેશ્યા જ કહી છે. તથા સૌધર્મ દેવલોકમાં ફક્ત તેજલેશ્યા જ કહેશે. તેજલેશ્યાના પ્રશસ્ત પરિણામ હેવાના કારણે સંગમ વિગેરેને ત્રિભુવનપતિ વર્ધમાનસ્વામીને રૌદ્ર ઉપસર્ગ કરવાનું ઘટશે નહિ તથા કહેલ છે કે “કાપિત, નીલ અને કૃષ્ણ એ ત્રણ વેશ્યા નરકમાં હોય છે. વિગેરે રૂપ નિયમ પણ વિરોધ પામશે. જીવસમાસમાં પણ કહ્યું છે કે, “દેવ અને નારકને આ દ્રવ્યલેશ્યાઓ હોય છે. ભાવ પરાવર્તનાએ દેવ-નારકને છ લેશ્યાઓ હોય છે.” માટે કહેવાશે તે દેવોને તથા નારકોને બાહ્યવર્ણરૂપ જ લેશ્યા આ છે. એમ માનવું જોઈએ. ઉત્તર :- શાસ્ત્રને અભિપ્રાય ન જાણતા હોવાથી તમારી આ વાત બરાબર નથી. લેશ્યા શબ્દની વ્યાખ્યા શુભાશુભ પરિણામ વિશેષરૂપ છે. તે પરિણામ વિશેષ ઉત્પન્ન કરનારા કૃષ્ણ વિગેરે રૂ૫ દ્રવ્ય હંમેશા જીવ પાસે જ રહેલા હોય છે. આ કૃષ્ણ વિગેરે દ્રવડે જીવના જે પરિણામ વિશેષ થાય છે, તે જ મુખ્યતયા લેણ્યા શબ્દરૂપે કહેવાય છે. ગૌણપણે કારણમાં કાર્યને ઉપચાર થાય એ ન્યાયે આ કૃષ્ણ વિગેરરૂપ દ્રવ્યો વેશ્યા શબ્દરૂપે વિવક્ષાય છે. તેથી નારકને અને દેને જે લેગ્યા છે, તે દ્રવ્ય લેશ્યા જાણવી. તેને વેશ્યા દ્રવ્ય તે-તે નારક અથવા દેને હંમેશા અવસ્થિત ઉદયવાળા જ જાણવા એ ભાવ છે. પણ બાહ્યવર્ણરૂપ ન જાણવા. તે વેશ્યા દ્રવ્ય તિર્યંચ મનુષ્યને બીજી વેશ્યા દ્રવ્યને સંપર્ક થયે છતે જેમ વિશુદ્ધ કપડું મંજિષ્ટ-કીરમજી વિગેરે રંગ લાગવાથી બિલકુલ પિતાનું સ્વરૂપ છોડી તે રંગરૂપે પરિણમે છે. તેમ તે વેશ્યા દ્રવ્ય બીજી લેગ્યા દ્રવ્યરૂપને સંપર્ક થવાથી તે લેશ્યરૂપે પરિણમે છે. એમ ન હોય તે આ વેશ્યાની ત્રણ પલ્યોપમની સ્થિતિ સંભવતી હેવા છતાં પણ આગમમાં અંતમુહૂર્ત પ્રમાણુ કહી છે તેને વિરોધ થશે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy