SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ છ લેડ્યા – જેના વડે જીવ કર્મો સાથે જોડાય. ચાંટે તે વેશ્યા કહેવાય. તે લેશ્યાઓ કૃષ્ણ, નીલ, કપોત, તેજ, પવ, શુક્લવર્ણ સ્વરૂપદ્રવ્યની સહાયથી જીવના જે શુભાશુભ પરિણામ વિશેષ છે. કહ્યું છે કે, સફટીકની જેમ કૃષ્ણ વગેરે દ્રવ્યની સહાયથી (આધારથી) આત્માને જે પરિણામ થાય છે, ત્યાં આ લેણ્યા શબ્દનો પ્રયોગ કરાય છે. કૃષ્ણ વગેરે દ્રવ્યને કેટલાક “યો પરિણામો સેવા’ એ વચનાનુસારે ગ અંત ગત દ્રવ્ય કહે છે. બીજા આચાર્યો વાસ વર્ષ પ્રકૃતિ નિચHT જેવા એટલે. બધી યે કર્મ પ્રકૃત્તિના રસરૂપ એટલે સારરૂપે લેગ્યા છે. બીજા કેટલાક “#ાર્મળ રાવત gવ ક્રમeટ વાળ વળા નિદqજ્ઞાનિ શ્રારિ द्रव्याणि लेश्या" કામણ શરીરની જેમ આઠ કર્મોથી જુદા જ કામણવર્ગણાથી બનેલા કૃષ્ણાદિદ્રવ્ય લેશ્યા છે. એમ જણાવે છે. તત્ત્વ તે તીર્થકર ભગવંતે જાણે. પરિણામ વિશેષરૂપ આ વેશ્યાઓ છ છે. તે આ પ્રમાણે, કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુલલેશ્યા. ગાથામાં કૃષ્ણ દ્રવ્યરૂપ અથવા કૃષ્ણદ્રવ્યવડે બનેલ જે વેશ્યા, તે કૃષ્ણલેશ્યા, એ પ્રમાણે નીલલેશ્યા વગેરે પદોમાં પણ વિચારી લેવું. તે છ માં પહેલી ત્રણ અશુભલેશ્યાઓ છે અને પાછલી ત્રણ શુભલેશ્યા છે. એમનું વિશેષસ્વરૂપ જણવવા માટે જાંબુ ખાનાર છ પુરુષનું તથા ગામ ભાંગનારાનું દષ્ટાંત કહેવાય છે. જાંબુ ખાનાર છ પુરૂષો : કેઈક જંગલમાં અત્યંત ભૂખ્યા એવા છ પુરુષોએ અત્યંત પાકેલ રસદાર ફળોના ભારથી નમેલું એવું કલ્પવૃક્ષ સમાન એક જાંબુનું વૃક્ષ જોયું, ત્યારે બધા આનંદિત થઈને બોલ્યા કે અરે ! સમયસર આ આપણા જેવામાં આવ્યું. હવે આપણે ભૂખને દૂર કરીએ. બધાયે આ જાંબુના ઝાડના સ્વાદિષ્ટ મોટા ફળો આપણી ઈચ્છા પ્રમાણે ખાશું એમ એક મનવાળા થયા ત્યારે તેમાંથી એક જે ફિલષ્ટ પરિણામવાળો હતો, તેણે કહ્યું કે, “ફક્ત આ જ બરાબર છે કે ચઢવામાં કઠીન એવા આ ઝાડ પર ચઢતા જીવનને પણ ભય રહે છે. માટે ધારદાર કુહાડા વડે આ ઝાડને મૂળથી કાપીને જમીન પર તિરછુ પાડી સુખપૂર્વક આના બધાયે ફળોને આપણે ખાઈએ. આને આવા પ્રકારના જે પરિણામ છે, તે કૃષ્ણલેશ્યાને પરિણામ છે. બીજાએ કંઈક દયાપૂર્વક કહ્યું કે “આટલું મેટું ઝાડ શા માટે કાપવું? આ ઝાડની એક મોટી ડાળ કાપીને ફળ ખાઓ.” આવા પ્રકારના નીલેશ્યાના પરિણામ છે. ત્રીજાએ કહ્યું “આ મોટી ડાળ શું કામ કાપવી પણ તે ડાળની શાખારૂપ એક નાની ડાળ જ આપણે કાપીએ.” આવા પ્રકારના પરિણામ કાપતલેશ્યાના છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy