SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નરકવેદના (ભા. ૨ પૃ. ૨૨૩) નું સ્વરૂપ વાંચી હૃદય કંપી ઊઠે છે. હઠ પરથી સરી પડે છે ભક્તિયેગાચાર્ય વીરવિજયજી મહારાજની પંક્તિઓ : “શે વશ સુખમાં સ્વામી ન સાંભર્યો રે, તેણે હું રઝળે કાળ અનંત નરકવેદનાની આ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલ મૃગાપુત્ર ચરિત્ર સુધીની માનસિક સફર આપણને કરાવે છે. માતા-પિતા પાસે દીક્ષાની અનુમતિ માગતા મૃગાપુત્રજી નરકની વેદનાનું કેવું સજીવ વર્ણન આપે છે! અને માતા-પિતાની અનુમતિ મળતાં જ મૃગાપુત્ર કેવી રીતે પ્રભુના માર્ગે નીકળી પડે છે ! સૂત્રકાર મહર્ષિ લખે છે, “રણુય વ પડે લગ્ન નિધુણિત્તાણ નિગ્નએ.” કપડાં પરની ધૂળ ખંખેરીને કેઈ નીકળે તેમ મૃગાપુત્ર સંસારને ખંખેરીને ચાલી નીકળ્યા. ભીનાશની આંખે જોવાયેલ આ પિન નરકવેદનાને આપણા માટે અતીતની ઘટના બનાવી મૂકે છે. દશ પ્રાયશ્ચિત્ત (ભા. ૨, પૃ. ૧) નું સ્વરૂપ વાંચતા અશ્રુબિન્દુઓને ચુવાક થશે. વિરાધનાની વેદના તીવ્રરૂપે ક્યારે મળે ? સાત નયનું સ્વરૂપ વાંચતાં (ભા. ૨. પૃ. ૬) પ્રભુ શાસનની વિશાળતાને બોધ થાય છે. દર્શનાચાર્ય અને ભક્તિયેગાચાર્ય પૂજ્યપાદ સિદ્ધસેનસૂરિ મહારાજાનું સન્મતિ પ્રકરણનું અતિમ મંગળ યાદ આવે છે: “ભદ્રં મિચ્છાદંસણસમૂહ મયમ્સ અમયસારસ જિણમયસ” મિથ્યાદર્શનના સમૂહરૂપ, અમૃતમય જિનશાસનને પ્રકૃતિ. અહોભાવથી ભીગી ભીગા બની “ પ્રવચન સારોદ્ધારની યાત્રાએ નીકળીએ.. આરખી (વાયા ડીસા) તા. ૬-૮-૯૩ -યશોવિજયસૂરિ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy