SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭. જંઘા ચારણ-વિદ્યાચારણની ગમન શક્તિ ૩૨૩ રૂપ ચાર વસ્તુ માટે હવાથી ચાર જ ગણાય છે. સમિતિ પાંચ, ભાવના બાર, પ્રતિમાઓ બાર, પાંચ, ઇદ્રિય નિષેધ, પચ્ચીસ પડિલેહણ, ત્રણ ગુપ્તિ, અને ચાર અભિગ્રહ, એ પ્રમાણે બધા ભેદો મેળવતાં સીત્તેર ભેદે થયા. પ્રશ્ન –ચરણસિત્તરી અને કરણસિત્તરીમાં શું તફાવત છે ? ઉત્તર –નિત્ય જે કરાય તે ચરણ અને વિશેષ પ્રયજનથી કરાય તે કરણ જેમ વ્રત વગેરે હંમેશા આરાધાય છે. વ્રત વગેરેને કેઈપણ કાળ હેતું નથી. માટે તે ચરણ. અને પિંડવિશુદ્ધિ વગેરે પ્રજન હોય, ત્યારે જ કરાય છે. માટે તે કરણ. (૫૬) ૬૭. જંઘાચારણુ-વિદ્યાચારણની ગમન શક્તિ अइसयचरणसमत्था जंघाविज्जाहिं चारणा मुणओ । जंधाहिं जाइ पढमो निस्सं काउं रविकरेऽवि ॥५९७।। જઘા અને વિદ્યા વડે અતિશયપૂર્વક ચરણ એટલે જવા આવવામાં સમર્થ, તે ચારણ જાણવા. જંઘાચારણે જ ઘા વડે સૂર્યના કિરણનો પણ આશ્રય લઈ જઈ શકે છે. (પ૯૭) ચરણ એટલે ગમન. તે જેને હોય, તેઓ ચારણ કહેવાય. બીજા મુનિઓને પણ ગમન તે હોય છે. માટે અહીં વિશેષણ એવા ચરણ શબ્દથી વિશિષ્ટ ગમનાગમન જાણવું. જવા આવવાની અતિશય લબ્ધિ સંપન્ન જે મુનિઓ તે ચારણ મુનિઓ છે. તે ચારણ મુનિઓને બે પ્રકાર છે. (૧) જંઘાચારણ અને (૨) વિદ્યાચારણ. ચારિત્ર અને વિશિષ્ટ તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલ જવા • આવવાની શક્તિરૂપ જે લબ્ધિવંત તે જંઘાચરણ. વિદ્યાના બળથી ઉત્પન્ન થયેલ જવા આવવાની વિશિષ્ટ શક્તિરૂ૫ લબ્ધિવંત, તે વિદ્યાચારણ. જંઘાચારણ મુનિઓ રૂચકવર સુધી જવા સમર્થ હોય છે અને વિદ્યાચાર નંદીશ્વરદ્વીપ સુધી જવા સમર્થ હોય છે. જંઘા ચારણે ગમે ત્યાં જવાની ઈચ્છા કરે તે સૂર્યના કિરણનો આધાર લઈને પણ જાય છે. વિદ્યાચારણે એમને એમ જાય છે. (૫૯૭) ૧. પિંડ-શમ્યા-વસ્ત્ર-પાત્ર = ૪ + સમિતિ = ૫ + ભાવના = ૧૨ + પ્રતિમા = ૧૨ + ઈન્દ્રિયનિરોધક પ + પડિલેહણ = ૨૫ + ગુપ્તિ = ૩ + અભિગ્રહ = ૪ + ૭૦ ૨. વર ધાતુને કયોરનાવિશ્વડળ સૂત્રથી મત્વર્થી અા પ્રત્યય થવાથી ચારણરૂપ થયું.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy