SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ચરણસિત્તરી ૨૯૯ ૧૦. છર્દિત-છર્દિત એટલે ત્યાગવું, છોડવું, ઢાળવું, તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર-એમ ત્રણ પ્રકારે છે. તે છર્દિત પણ ક્યારેક સચિત્તમાં, ક્યારેક મિશ્રમાં ને ક્યારેક અચિત્તમાં થાય છે, એમાં મિશ્રનું આધાર આધેય બંનેરૂપે સચિત્તમાં જ અંતર્ભાવ હેવાથી છેડવા. ફેંકવા વિષયકમાં સચિત્ત-અચિત્તદ્રવ્યને આધાર રૂપે અને આધેયરૂપ સંયોગથી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે - ૧. સચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૨. સચિત્તમાં અચિત્તને ત્યાગ. ૩. અચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૪. અચિત્તમાં અચિત્તનો ત્યાગ. આમાં પહેલા ત્રણ ભાંગાઓમાં સચિત્તના સંઘટ્ટા વગેરે દેષને સંભવ હેવાથી ન ખપે. અને છેલ્લામાં ઢોળાતું હોવાથી ન ખપે. કારણકે ઢોળવામાં મહાન દેષ છે. ગરમ પદાર્થને ઢાળ ભિક્ષા આપે તે દાઝે અને જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને બાળે. ઠંડુ દ્રવ્ય ઢોળાય તે જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને વિરાધે. આ દશ એષણના દે છે. આ પ્રમાણે સંક્ષેપથી ગોચરીના બેતાલીસ (૪૨) દેષ કહ્યા. વિસ્તારથી પિંડનિર્યુક્તિમાંથી જાણવા. (૫૬૮) હવે પિડવિશુદ્ધિને સારાંશ કહે છે. (સર્વ સંગ્રહ) પિડવિશુદ્ધિને સાર: पिंडेसणा य सव्वा संखित्तोयरइ नवसु कोडीसु । न हणइ न किणइ न पयइ कारावणअणुमईहि नव ॥५६९॥ - પિંડેષણ એટલે પિંડવિશુદ્ધિ. તે સંપૂર્ણ પણે સંક્ષેપમાં નવ પ્રકારની કેટીમાં એટલે વિભાગમાં આવી જાય છે. તે આ પ્રમાણે. ૧. પોતે જાતે ન હણે, ૨. ન ખરીદે, ૩. ન પકાવે (રાંધે), ૪. ન હણાવે, પ. ન ખરીદવે, ૬. ન રંધાવે, ૭. હણનારાને, ૮. ખરીદનારને અને ૯, રાંધનારને અનુદન ન આપે. આ નવ પ્રકારે પિંડ વિશુદ્ધિને સંગ્રહ થાય છે. (૫૬૯) આગળ સેળપ્રકારના ઉદ્રમના દોષો કહ્યા, તે સામાન્યથી–બે પ્રકારે છે. ૧. વિધિકેટિ અને ૨. અવિશેષિકેટિ. ૧. ત્યાગ એટલે મૂકવું.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy