SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી ૨૭૩ ૧૨. ઉભિન્ન:-ઉદ્દભેદ કરો એટલે ખેલવું તે. સાધુ વગેરેને ઘી વગેરેનું દાન કરવા માટે, ગાયના છાણ વગેરેથી ઢાંકેલ ઘડા વગેરેના મોઢાને ખેલવું, તે ઉભિન્ન કહેવાય. તે પિહિભિન–અને કપાટભિન્ન-એમ બે પ્રકારે છે. (૧) પિહિભિન્ન –જે છાણ, અગ્નિથી તપાવેલ લાખ, સચિત્ત પૃથ્વીકાય વગેરે ચેટે એવી ચીકણી ચીજો દ્વારા, દરરોજ ન વાપરવા ગ્ય ખાંડ, ઘી, ગોળ, વગેરેથી ભરેલા ઘડા, મશક, કુતુપ, કુશલ વગેરેના મેઢાને ઢાંકેલ હોય, તેને સાધુના દાન માટે ખેલીને ખાંડ વગેરે સાધુને આપે, તે પિહિભિન કહેવાય છે. (૨) કપટભિન્ન –જે ખાંડ, ઘી, ગોળ વગેરેને ઓરડા વગેરે તેમજ મજબૂત અને નિશ્ચલ એવા કબાટના, રોજ નહીં ખોલાતા બારણાને સાધુને દાન આપવા માટે ખેલીને, ગોળ, ખાંડ વગેરે સાધુને આપવા, તે કપાટભિન. - અહીં આગળ છજીવનિકાયની વિરાધના વગેરે દે છે. તે આ પ્રમાણે -કુતુપ વગેરેના મેઢાથી સાધુને ઘી વગેરે આપી બીજાની રક્ષા માટે ફરીવાર કુતુપ વગેરેના મેઢાને સચિત્ત પૃથ્વીકાયને પાણીથી ભિજાવી ઉપર લેપ કરે તેથી પૃથ્વીકાય અને અપકાયની વિરાધના થાય. પૃથ્વીકાયમાં મગ વગેરે અને કીડી વગેરે હેવાની સંભાવના હેવાથી ત્રસકાયની પણ વિરાધના થાય. કેઈક નિશાની માટે લાખ તપાવીને કુતુપ વગેરેના મેઢ લાખની મુદ્રા મારે, તે તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ હોય છે માટે વાયુકાયની પણ વિરાધના, તથા કુતુપ વગેરે પર લેપ કરવા માટે માટી વગેરેને શોધતા દાતાને કઈક વખત વીંછી વગેરે કરડે અને પીડાય તે લકે બેલે કે “અહે ! આ સાધુઓ મહાપ્રભાવિક છે. જેમને દાન કરવા માત્રથી તરત જ આ ફળ મલ્યું એમ લેકમાં મશ્કરી થાય. જે પહેલેથી કુતુપ વગેરેનું મેટું સાધુ માટે ખુલ્લું કરી રાખે, તે છોકરા વગેરેને ઘી વગેરે આપવાથી તેમજ ખરીદવા વેચવા દ્વારા પાપ પ્રવૃત્તિ થાય. તે કુતુપ વગેરેના મેઢાને ઢાંકવાનું ભૂલી જાય તે અંદર ઉદર વગેરે જેવા પડે તે મરી જાય. કપાટભિન્નમાં પણ આ જ દે જેમકે કબાટની આગળ કેઈપણ કારણથી પૃથ્વીકાય કે પાણી ભરેલ કરવક એટલે (લેટે) અથવા બીજેરૂ વગેરે મૂકયા હોય, તે તે બારણાને ઉઘાડવાથી તેની વિરાધના થાય. પાણી ભરેલ કરવક (લેટે) વગેરે ઢળી જતા કે ફૂટી જતા પાણી પસરત નજીકના ચૂલા વગેરેમાં પણ જાય. ત્યાં અગ્નિ હોય તે તેની વિરાધના થાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય એટલે વાયુકાયની વિરાધના. ઉંદર વગેરેના દરમાં પેસે તે કીડી-ગરેળી વગેરે જીવની વિરાધનાથી ત્રસકાયની વિરાધના. તથા દાન કરવું, લે, વેચાણ કરવું વગેરે દ્વારા અધિકણની પ્રવૃત્તિ થાય, માટે બંને પ્રકારનું ઉભિન્ન ગ્રહણ ન કરવું.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy