SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી २६७ આના ભાવાર્થ આ રીતે છે. જેમ સુગંધી મનેાહર વગેરે ગુણેાથી વિશિષ્ટ શાલિ વગેરેના ભેાજનને સડેલા, ગંધાતા, અપવિત્ર વગેરે દ્રવ્યના એક નાના અંશ દ્વારા પણ તે વિશિષ્ટ ભાજન અપવિત્ર થાય છે. અને વિશિષ્ટ લેાકેાને ત્યાજ્ય થાય છે. તેવી રીતે નિરતિચાર ચારિત્રવાળા સાધુના નિરતિચાર ચારિત્રને સાતિચાર રૂપે અપવિત્ર કરવાના કારણે અવિશુદ્ધ કોટી દ્રવ્યના સંપર્ક માત્રથી સ્વરૂપથી શુદ્ધ આહાર પણ વાપરતાં ભાવપૂર્તિનું કારણ હોવાથી પૂતિક થાય છે. આધાક વગેરે અવયવના લેશમાત્રથી પણ ખરડાયેલ થાળી-ચમચા-વાટકી વિગેરે પૂર્તિરૂપ હાવાથી છેાડી દેવી. ૪. મિશ્રજાત–કુટુંબના વિચાર તથા સાધુના વિચાર કરી બન્ને જે રસાઈ વિગેરે રાંધી હેાય, તે મિશ્રાત. તે ત્રણ પ્રકારે છે. ભાવ મેળવી ૧. ચાવર્થિક, ૨. પાંખડીમિશ્ર, ૩. સાધુમિશ્ર. ૧. દુષ્કાળ વિગેરેના ટાઈ મે ઘણા ભિક્ષુકાને જોઈ તેની દયાની બુદ્ધિથી જે કાઈ ગૃહસ્થા કે ભિક્ષાચરે આવશે, તેને આપવા માટે તથા કુટુ ંબને ખાવા માટેની બુદ્ધિથી સામાન્યરૂપ ભિક્ષુક ચેાગ્ય અને કુટુંબ યોગ્ય ભેગુ` કરી જે રાંધે, તે યાવદર્થિકમિશ્રજાત. ર. જે ફક્ત પાખંડી માટે અને પેાતાના માટે જ રાંધે, તે પાખ'ડીમિશ્રજાત. ૩. જે ફક્ત સાધુ અને પેાતાના માટે ભેગું રાંધે, તે સાધુમિશ્રાત. શ્રમણાને પાખ‘ડીઓમાં ગણેલા હેાવાથી જુદા લીધા નથી. ૫. સ્થાપના :-સાધુ માટે કેટલાક વખત સુધી જે વસ્તુ રાખી મુકાય, તે સ્થાપના. અથવા આ વસ્તુ સાધુને આપવાની છે—એવી બુદ્ધિથી કેટલાક વખત રાખવું તે સ્થાપના. તે સ્થાપના સંબંધથી આપવા ચાગ્ય પદાર્થ પણ સ્થાપના કહેવાય છે. તે સ્થાપના ચૂલા-થાળી વગેરેમાં સ્વસ્થાન કહેવાય છે. અને શિકા છાબડી વિગેરેમાં પરસ્થાન કહેવાય છે. તથા ચિરકાલીન અને અલ્પકાલીન જે સાધુદાન નિમિત્તે અશનાદિને રાખવું, તે સ્થાપના એ ભાવ છે. ૬. પ્રાકૃતિકા :-કોઈક ઇષ્ટ વ્યક્તિને કે પૂયને બહુમાનપૂર્વક જે ઇચ્છિત વસ્તુ અપાય તે, પ્રાભત એટલે ભેટ કહેવાય છે. તે ભેટની જેમ સાધુઓને પણ આપવા લાયક ભિક્ષા વગેરે જે વસ્તુ અપાય તેજ `પ્રાભતિકા. તે એ પ્રકારે છે. ૧. માટા આરભવાળી તે ખાઇર એટલે સ્થૂલ અને ૨. અલ્પા૨'ભવાળી તે સૂક્ષ્મ. તે એને પણ ૧. ઉત્વષ્ટષ્ણુ અને અવષ્વકણુ-એમ એ પ્રકારે છે. ઉષ્કછુ એટલે પાતાને કરવા યાગ્ય પ્રવૃત્તિને જે કાળ હોય, તેને કરવાના કાળ પછી કરવી એટલે કામકાજના સમય મેાડા કરવા. અવષ્વકણુ એટલે પેાતાને કરવાની પ્રવૃત્તિ હાય, તેને તેના સમય પહેલા કરવી તે. ૧. ‘પ્ર’ એટલે પ્રક`થી એટલે સારી રીતે. ‘આ ' એટલે સાધુદાનની મર્યાદાપૂર્વક, ‘ભૂતિ’ એટલે બનાવે, ‘યા’એટલે ભિક્ષા, તે પ્રાણતા. પછી સ્વાથિંક ‘' પ્રત્યય લાગવાથી પ્રાકૃતિકા થયુ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy