SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) મીનવિહલ વૃત્તિ ઉત્તરાદ્ધ, - તે “શીશુગત” નામના મુનિની કથા ^ ^ ^^^ લક્ષમીના નિવાસસ્થાનરૂપ આ ભરતક્ષેત્રના સુદર્શનપુરમાં ઉત્તમ ગુણાના આશ્રયરૂપ શિશુનાગ નામનો ઉત્તમ બુદ્ધિવાળા શ્રેષ્ઠી વસતો હતો. લક્ષ્મી પિતાને સ્વભાવિક ચપળતાને દેધ ત્યજી દઈ નિરંતર તેના ઘરને વિષે ઉત્સાહ પામતી છતી રહેતી હતી. જેણીએ પોતાના શીળગુણથી સતી સ્ત્રીઓને વિષે અગ્રેસરપણું મેલવ્યું હતું એવી અને જાણે સાક્ષાત દેહધારી ગૃહલક્ષમીજ હાયની? એવી તે શ્રેષ્ઠીને સુયશા નામે સ્ત્રી હતી. નિરંતર શ્રાવકત્રત પાળતા અને બેગ ભેગવતા એવા તેઓને ઉત્તમ ગુણલક્ષમીએ કરીને પવિત્ર એવો સુવ્રત નામે પુત્ર થયો. ગુરૂ પાસે સર્વ કલાઓને અભ્યાસ કરતા એવા તે શ્રેષ્ઠિપુત્રે પિતાના પુણ્યથી કલાધારીઓમાં અગ્રેસરપણું એલવ્યું. અનુક્રમે તે સ્ત્રીઓના મનરૂપ મદેન્મત્ત મૂગને વશ કરવામાં પાસરૂપ સિભાગ્યલેમીવાળું દિવ્ય વૈવન પામે, જેથી તે દેગુંદકદેવની પેઠે નિરંતર સુખસંપત્તિ ભેગવત હતો. એકદા તે પિતાના આવાસના ગેખ ઉપર બેસીને નગરની શોભા જેતે હસે. એવામાં તેણે પોતાના ઘરની પાસેના કેઈ ઘરને વિષે જેવા ગ્ય કાંતિવાળી, મનોહર અને રંભાના સરખી કોઈ સ્ત્રીને દીઠી. વિવિધ પ્રકારના તે તે ઈષ્ટ વિલાસથી કીડા કરતી એવી તે સ્ત્રીને જોઈ બુદ્ધિમાન એવો સુત્રત વારંવાર વિચાર કરવા લાગ્યું. “અહા! શું એણનું રૂપ! એને પતિ કે તેની સાથે ક્રીડા કરે છે. ખરેખર ઉત્તમ પુરૂષને આવો યોગ તે પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. સુત્રત આ પ્રમાણે વિચાર કરતે હતે એવામાં તેના પ્રિયમિત્રો આવ્યા તેથી તે તેમની સાથે વાતે કરવા લાગે એટલે પેલી વાત ભૂલી ગયે. બીજે દિવસે પવિત્ર બુદ્ધિવાળે સુવ્રત કરી અને વિષે બેઠે. આ વખતે પેલી સ્ત્રીને અચાનક વ્યાધિ થઈ આવ્યો તેથી તે તુરત મરી ગઈ. આકંદ કશ્તા એવા તેણીના બંધુઓ શોકથી તેણીને સમશાનમાં લઈ જતા હતા. તે ગેખમાં બેઠેલા સુવ્રતે દીઠી. તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “પ્રાણીઓને દુ:ખના ભંડારરૂપ આ સંસારને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ, ફક્ત મૂર્ણ પુરૂજ આ સંસારમાં આસક્ત થાય છે. પરંતુ વિવેદી પુરૂ તે તેથી વિરાગવંતા થાય છે. જીવિત અને ધનાદિ સર્વ સંધ્યા સમયના વાદળાના રંગ જેવું છે. સંસારના સંગ પણ વિયેગથી નાશવંતા છે. માટે વિનશ્વર એવા કુટુંબમાં નિવાસ કરવાની હારે કાંઈ જરૂર નથી. જ્યાં શાશ્વત તત્વ હોય ત્યાં વાસ કરે ગ્ય છે.” આ પ્રમાણે વિચાર કરીને પુણ્યાત્મા તથા ક્ષમાધારી એવા સુવ્રતે માતા પિતાની આજ્ઞા લઈ સુગુરૂ પાસે દીક્ષા લીધી. ત્યારપછી તે ચારિત્રને પાલવા લાગ્યો. અનુક્રમે સર્વ સિદ્ધાંતના અભ્યાસવાળા અને સાધુની શિક્ષાદિના પારને પામેલા તે સુવત મુનિ, ગુરૂની આજ્ઞાથી એકલ વિહારી થયા.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy