SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતિ ગાંધારનું ચરિત્ર. ( ૫૩ ) મજરી, લ અને પત્રાદિ લઇ લઈને એ આમ્રવૃક્ષનું માત્ર થડ રહેવા દીધું. પછી ક્રીડા કરીને પાછા ફેરેલા રાજાએ ફક્ત થડવાલા તે આમ્રવૃક્ષને જોઈ વિચાર્યું કે, “ અહા ! નેત્રની પ્રીતિ કરનારા આ આમ્રવૃક્ષ પ્રથમ મેં કેવા દીઠા હતા. છતાં તેની આવી અવસ્થા થઇ ? ખરેખર એનાજ સમાન દશા મનુષ્યેાની પણુ ઘણું કરીને થાય છે. સંસારમાં પરિવર્તન થઇ રહેલા સર્વ ભાવાને અનિત્યપણાને લીધે શું નિશ્ચે વિપ યપણું નથી પ્રાપ્ત થતું ? દુ:સ્થ એવા મનેારથની પેઠે નિવન નિવન ધન, કુટુંબ અને દેહાર્દિ સવ નાશ પામે છે. આ સર્વે સંસારની સ્થિતિ સંધ્યાના વાદલાના રંગની પેઠે, હસ્તિના કાનની પેઠે, વલી વિજલી અને પાકેલા પત્રની પેઠે તેમજ મટ્ઠાન્મત્ત એવી સ્ત્રીના ટાક્ષની પેઠે સ્થિરતા પામતી નથી. પાપ પુણ્યથી ઉત્પન્ન થએલા અને અપાર એવા ભવના એક કારણ રૂપ એવા જેના અસાતા સાતા રૂપ પાપ પુણ્ય શાંત થયાં નથી એવા જીવ કયારે પણ સિદ્ધિપદ રૂપ મહેલ ઉપર ચડી શકવાને સમર્થ થતા નથી. અનાદિસિદ્ધ, શાશ્વત અને અમૂર્ત એવા જીવને નાશવંત સ્વભાવવાલા અને મૂર્તિમંત એવા દેહની સાથે વૃથા મમત્વપણું છે. માટે હે જીવ ! તું દેહ ઉપરના મેહ ત્યજી દે. ” આમ્રવૃક્ષની શ્રી અથવા અશ્રી જોઇ આ પ્રમાણે વિચાર કરતા એવા તે નગાતિ ગાંધાર ભૂપતિ પ્રતિધ પામીને પ્રત્યેકબુદ્ધપણું પામ્યા. તે વખતે દેવતાએ તેને તુરત સાધુના વેષ આપ્યા. इति श्रीनगाति चरित्रम् >> ?? હવે કરકડું, દ્વિમુખ, નામિ અને નગાતિગાંધાર એ ચારે મુનીશ્વરા પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ક્ષિતિપ્રતિષ્ટ નગરને વિષે આવ્યા. ત્યાં તેઓ કોઈ બહુ ન્હાના એવા ચતુર્મુખ દેવમંદિરમાં પૂર્વાદ દિશાઓને વિષે અનુક્રમે શુદ્ધ ધ્યાનમાં નિરંતર એક ચિત્તવાલા થયા છતાં બેઠા. આ વખતે અત્યંત પ્રસન્ન થએલા મનવાલા મદીરાધિપતિ દેવ વિચાર કરવા લાગ્યા કે, આ સતાષધારી મહામુનિઓનું મ્હારે શી રીતે આતિથ્ય કરવું ? નિશ્ચે આજે હું કૃતકૃત્ય, ધન્ય અને પુણ્ય દેહવાળા થયા જે પવિત્ર દનવાલા આ મુનીશ્વરાએ આજે મ્હારા મંદિરને પવિત્ર કર્યું. હમણાં એમના સન્મુખ થઈને બેસવું એજ આતિથ્ય કરવું ચેાગ્ય છે. ” એમ ધારીને તે દેવતા તે ચારે મુનિએની તરફ ચાર મુખ કરીને બેઠા. આ વખતે ખરજ આવવાને લીધે સળીવડે ખણુતા એવા કરકડુ મુનિને જોઇ દ્વિમુખ મુનીશ્વરે કહ્યું કે, “ તમે પુર, અંત:પુર, રાજ્ય અને દેશ ત્યજી દીધા છે છતાં ફરીથી પરિગ્રહ શા માટે કરેા છે ? ” દ્વિમુખનાં આવાં વચન સાંભલી કરકડુ જેટલામાં તેમને ઉત્તર આપવા જાય છે. તેટલામાં ઉત્પન્ન થયા છે તર્ક જેમને એવા નમિ મુનિએ દ્વિમુખને કહ્યું. “ તમે પિતા સંમધિ રાજ્યના કાને ત્યજી દીધું તેા પણ આજે ફરીથી તેવું કામ શા માટે કરા છે. ” ફ્રિમુખ જેટલામાં નમિ મુનીશ્વરને ઉત્તર આપવાના
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy