SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ નગારીનું ચરિત્ર (૪૭) મિએ કરીને એમ પૂર્ણ ઈચ્છાવાળા થઈએ. પોપકાર કરવામાં પ્રીતિવાળા પુત્રને આજ્ઞા આપી અને રાજકાર્ય કરવાની હા પાડી. માતા પિતાએ નગરવાસી જનેને હર્ષિત કર્યા. પછી સ્નાન કરી ચંદનાદિને લેપ કરી અને ભજન કરી વળી વાઈત્રના શબ્દપૂર્વક નગરમાં ફરી રાક્ષસની પાસે આવેલા તે પુત્રને માતા પિતાએ રાક્ષસના કહેવા પ્રમાણે ઉંચકયો. આ વખતે હાથમાં ખડગ ધારી રહેલા રાજાએ તે બ્રાહ્મણ પુત્રને “તું હારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહ્યું. બ્રાહ્મણ પુત્ર પણ રાક્ષસ સામું જોઈને હસવા લાગ્યા. રાક્ષસે તેને હસવાનું કારણ પૂછયું એટલે તે વિપ્ર પુત્રે કહ્યું. “હે રાક્ષસ પ્રથમ તને આ રાજાએ સ્વાર્થપણુએ કરીને આ શું આપ્યું ?” બ્રાહ્મણ પુત્રનાં આવાં વચન સાંભળી જેને હર્ષથી પુલકાવલી ઉત્પન્ન થઈ હતી એવા તે રાક્ષસે કહ્યું. “હે દ્વિજ ! હું હારા સવથી સંતુષ્ટ થયે છું માટે કહે હું હારું શું કાર્ય કરું ?” બ્રાહ્મણ પુત્રે હસતાં છતાં કહ્યું “જો તું મને ઈષ્ટ વસ્તુ આપવાનું કહેતા હોય તે પ્રથમ તું હિંસાને ત્યાગ કર.” વળી તે વિપ્ર પુત્રે મનમાં હિંસક જીનું ચિત્ત શુભ કયાંથી હોય? અને માંસ ભક્ષણ કરનારા અમૃતભેજી કયાંથી ચાયએમ વિચાર કરીને કહ્યું કે “ હારે વૃથા હિંસા ત્યજી દેવી.” બ્રાહણપત્રે કરેલા હાસ્યથી પ્રતિબંધ પામેલે રાક્ષસ શ્રી અરિહંત પ્રભુને દયામય ધર્મ અંગીકાર કરી તે બ્રાહ્મણપુત્રને ગુરૂ સમાન માનવા લાગ્યું. પછી બ્રાહ્મણ પુત્રથી પ્રતિબંધ પામીને ભૂપાદિ અનેક માણસોએ શાંત અને દયામય જૈનધર્મને અંગીકાર કર્યો. (દાસી રાણું કનકમંજરીને કહે છે કે, હે નૃપપ્રિયે ! બ્રાહ્મણપુત્ર શા કારણથી હર્યો હતો તે કહે? કે જેના હાસ્યને સાંભળીને તે રાક્ષસાદિ સર્વને દયામય ધર્મને વિષે બુદ્ધિ થઈ.” રાણી “તે કાલે કહીશ” એમ કહીને સૂઈ ગઈ. બીજે દિવસ વાત સાંભળવા માટે આવેલે રાજા ક્રિીડા કરીને સુતે એટલે દાસીએ આગલા દિવસની વાત પૂછી કનકમંજરીએ કહ્યું. “મનુષ્યને માતા પિતા શરણરૂપ છે. અને રાજા દેવરૂપ છે એ સઘળા વિપ્રપુત્રની પાસે હતા, છતાં રાજાએ તેને તેના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવાનું કહ્યું તેથી તે એમ વિચાર કરીને હસ્યો કે જેનું હારે સ્મરણ કરવું જોઈએ તે તે મહારી પાસે છે તે હવે હારે કોનું સમરણ કરવું? માટે હે નૃપ ! જે દયારૂપ અમૃતના સમુદ્ર છે. અહિંસક છે, અને શરણ આવેલાનું રક્ષણ કરનાર છે તે જ ભવપારગામી શ્રી અરિહંત શરણું કરવા ગ્ય છે, ” આ પ્રકારની અનેક કથાઓ વડે વારંવાર મોહ પમાડતી રાણી કનક મંજરીએ રાજાને પોતાના સ્વાધીન બનાવી દીધું. રાણું કનકમંજરીને વિષેજ અત્યંત અનુરક્ત ચિત્તવાળો અને નિરંતર તેના ઉપર મેહ પામેલે રાજા કયારે પણ બીજી રાણુઓનું કુશળાદિક પણ પૂછત નહોતે. ઘણું કરીને સ્ત્રીઓ, બાળકો અને રાજાઓ નિરંતર મુગ્ધ હદયવાળા હોય છે, માટે જેમ પારધીએ વનમાં મૃગને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy