SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ i (૩૩) પ્રત્યેકબુદ્ધ બીનગિરાજર્ષિનું ચરિત્ર, હજાર ને આઠ રાજકન્યાઓનું એકજ લગ્નમાં તેને પ્રેમથી પાણગ્રહણ કરાવ્યું. પછી પદ્યરથ રાજાએ નમિ પુત્રને રાજ્ય આપી પિતે દીક્ષા લીધી. અનુક્રમે કેવળજ્ઞાન, પામીને તે મહામુનિ મહાદયપદ પામ્યા. - પછી મહા દુર્ધર શત્રુઓને પણ નમાવી દેનાર અને પ્રતાપથી સૂર્ય સમાન પરાક્રમી નમિ રાજા અખંડિત પૃથ્વીનું રાજ્ય કરવા લાગે. લક્ષમીએ વિષ્ણુને ત્યજી દઈ ગુણના સમુદ્રરૂપ એ રાજાને આશ્રય કર્યો એમ જાણીને જ જાણે ભયને લીધે શંકરે પણ પાર્વતીને પિતાના અર્ધા શરીરને વિષે બાંધી લીધી હોય કે શું? અનુકેમે ન્યાયવંત, સમર્થ, ઉપશમવાળ, શક્તિવંત, સરળ, સુશીલ, અને સુભગ એ તે નમિ રાજા, સર્વ ગુણના સમુદ્રરૂપ થયે. પ્રજાનું પાલન કરવામાં તત્પર એવો તે ભૂપાળ, કીર્તિ, યશ, ન્યાય, વિનય, ઐશ્વર્ય અને વિવેકની સંપત્તિએ કરીને શેષરાજ સમાન શોભતે હતે. હવે અહિં સુદર્શનપુરમાં એમ બન્યું કે પોતાના ન્હાના બંધુ યુગબાહુને હણું સિદ્ધમરથ માનતા એવો પાપી મણિરથ રાજા પોતાને ઘેર ગયે. તેટલામાં તેને પાપના યોગથી રાત્રીને વિષે સાપ કરશે. તેથી તે મૃત્યુ પામીને અતિ દુ:ખદાયી એવી ચોથી નરક પ્રત્યે ગયે. અડા! મોહથી આંધળે, મહાપાપી અને દુષ્ટ બુદ્ધિવાળો મણિરથ રાજા અધર્મને લીધે મહા સમૃદ્ધિવાળા પદથી ભ્રષ્ટ થયો. ધિકાર છે ધિક્કાર. છે આવા નિર્દય કૃત્યને ? આંસુથી વ્યાસ એવા પ્રધાનાદિકે તે બન્ને ભાઈઓનું ઉદ્ઘ દેહિક કરીને પછી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્યાભિષેક કર્યો. પિતાના ભુજબળથી તેડી પાડ્યા છે રાજ શત્રુઓના માન જેણે એવા તે ચંદ્રયશા રાજાને કયારેક હસ્તિ, અશ્વ વિગેરે વાહનોની કીડાને મરથ થયા. મહાવેગ વાળા બહુ વાહનોને ખરીદ કરી ઉત્તમ વેષ ધારી તે ભૂપતિ વિશાલ પ્રદેશમાં જઈ નિરંતર પ્રધાન વિગેરે પુરૂષોની સાથે કીડા કરવા લાગે. - હવે એકદા ઈંદ્ર સમાન સંપત્તિવાળા નમિ રાજાને ઉજવલ દેહવાગે, ઐરાવણ સમાન, વિધ્યાટવીનું મરણ થવાથી આલાનસ્તંભને ઉખેડી નાખી નાસી જતે, મદથી આકુલ મહા બળવંત એવા પણ બીજા હસ્તિઓને ત્રાસ પમાડત, ભયંકર આકૃતિવાળે, કાલના સરખો દુદમ, સ્પર્શથી વારંવાર મસ્તકને ધુણાવતે, ઝરતા મદરૂપ જળથી પૃથ્વીને સિંચન કરતો, બળવંત, ઉગ્ર એવા સુંઢ અને દાંતથી ઘર અને હાટને પાડી દેતે, વલી ભમરાથી ઘેરાયેલ અને વેગથી બીજા હસ્તિઓને પાછળ ત્યજી દઈ નાસી જતો એ હસ્તિ મિથિલા નગરીની ભૂમિને ઉલ્લંઘન કરી આગળ નાસી જવા લાગ્યું. નમિ રાજાના દેશની સીમા સહિત બહુ માર્ગ ઉલ્લંઘન કરી તે હસ્તિરાજ સુદર્શનપુરની પાસે ભમતો હતો એવામાં તેને વાહનોથી કીડા કરતા એવા ચંદ્વયશાના દૂતોએ દીઠો. રાજાની આજ્ઞાથી તેઓએ તુરત ક્ષુધાથી વ્યાપ્ત થએલા અને થાકી ગએલા તે હસ્તિને પકડી રાજા પાસે આ. મહારાજા ચંદ્રયશા પણ બહુ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy