SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ) શ્રીહષિમંડલવૃતિ–ઉત્તરાદ્ધ. પાસે મોકલું.” આ પ્રમાણે વિચાર કરી સિંહગિરિ સૂરિએ વજીસ્વામીને કહ્યું કે “હે ઉત્તમ વજ ! તું ઉજજયિની નગરીમાં રહેલા ભદ્રગુપ્ત આચાર્ય પાસે જઈ દશપૂર્વને અભ્યાસ કર. હારી આજ્ઞાથી તે ત્યાં દશપૂર્વને અભ્યાસ કરી અહીં આવજે. તને શાસનદેવી નિરંતર સહાય થાઓ અને હારા મુખથી અમારા ગચ્છને વિષે દશપૂર્વ વિસ્તાર પામો.” ગુરૂએ એવી રીતે આજ્ઞા કરી એટલે વજ, વિશાલા નગરી પ્રત્યે ગયો. વજસ્વામી જે દિવસે વિશાળા નગરીને વિષે આવવાના હતા તેજ રાત્રીમાં નિશ્ચિત મનવાળા શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ એક શુભ સ્વમ દીઠું. તે એમકે “ જાણે કોઈ પરદેશથી આવેલા માણસે ઝટ હારા હાથમાંથી દુધ ભરેલું પાત્ર લઈ પિતે તૃપ્તિપર્યત પીધું, અને તે સંતેષ પામે.” ગુરૂએ સ્વમની વાત પિતાના શિષ્યોને કહી, તેથી તેઓ પિતાની બુદ્ધિ પ્રમાણે જુદા જુદા વિતર્ક કરી તેને અથે વિચારવા લાગ્યા. પછી રાત્રી નગરીની બહાર રહીને સવાર થતાં વજસ્વામી વિધિપૂર્વક શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયે આવ્યા. શ્રી ભદ્રગુપ્ત મુનીશ્વર દૂરથી આ વતા એવા વજસ્વામીને જોઈ હર્ષથી બહુ ઉલ્લાસ પામ્યા, એટલું જ નહિ પણ પ્રસિદ્ધિના સમાન વજીની આકૃતિ જોઈ તેમણે “આ પિતે વજ છે.” એમ મનમાં નિશ્ચય કર્યો. પછી વંદના કરતા એવા વજસ્વામીને શ્રી ભદ્રગુપ્ત આચાર્ય સંતોષ પામી પોતાના મેળામાં બેસારી આ પ્રમાણે કહ્યું. “હે મહાભાગ! તું ભલે આવ્યું. ત્યારું તપ નિર્વિઘપણે વર્તે છે તે ખરું? હે વત્સ હારા ગુરૂ કુશળ છે? હારૂં અહીં આવવું શા કારણથી થયું છે ?” શ્રી વાસ્વામીએ ભદ્રગુપ્ત સૂરિને નમસ્કાર કરી, હાથ જોડી અને પિતાના મુખ આડી મુહપત્તિ રાખીને કહ્યું. “આપે સ્વાગતાદિ જે જે મને પૂછ્યું, તે ગુરૂના ચરણ પ્રસાદથી તેમજ વતે છે. હું ગુરૂની આજ્ઞાથી આપની પાસે દશપૂર્વને અભ્યાસ કરવા આવ્યો છું, માટે આપ હારા ઉપર કૃપા કરી મને વાચનાદાન આપે.” પછી શ્રી ભદ્રગુપ્ત આચાર્યો વજસ્વામીને દશપૂર્વ ભણવ્યાં તેમાં ગુરૂને જરાપણુ કલેશ થયો નહિ અને વજસ્વાતી દશપૂવી થયા. શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ વજસ્વામીને કહ્યું, કે “હે વત્સ ! હવે તું ઝટ હારા, ગુરૂ પાસે જા. કારણ કે મહાત્માએ જ્યાં શાસ્ત્રને અભ્યાસ કરવાનો આરંભ કર્યો હિય, તે મનસ્વી પુરૂષે તે પિતાના ગુરૂની આજ્ઞા સ્વીકારવી જોઈએ.” શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ આવી રીતે આજ્ઞા કરી એટલે સંપૂર્ણ દશપૂર્વના જોણુ એવા શ્રી વજસ્વામી તેમને નમસ્કાર કરી પોતાના ગુરૂ શ્રી સિંહગિરિ સૂરિ પાસે આવ્યા. શ્રી સિંહગિરિ સૂરિએ પોતાની પાસે આવેલા વજીસ્વામીને તે વખતે સર્વ સંઘની સમક્ષ પૂર્વની આજ્ઞા કરી તે જ વખતે વજસ્વામીના પૂર્વ ભવના મિત્ર જભક દેવતાએ પુષ્પવૃષ્ટિ વિગેરે પ્રગટ હોટું પ્રાતિહાર્ય કર્યું. શુભ આશયવાળા શ્રી સિંહગિરિ સૂરિ, જસ્વામીને પિતાને ગ૭ પી પોતે અનશન લઈ સ્વર્ગે ગય.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy