SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબૂકમાર નામના ચરસકેવલીની કથા. (૩ર૧) રમવા લાગ્યો. તેની આવી ક્રીડા જોઇ પેલે વૃદ્ધ વાનર તેના ઉપર અતિશય ક્રોધ પાપે. તેણે ત્યાં નજીક આવી પેલા યુવાન વાનરના ઉપર પથ્થર ઘા કર્યો. પથ્થરથી હણાએલ તે યુવાન વાનર પણ સિંહની પેઠે અધિક ઘુ ઘુરુ શબ્દ કરતો તેની સામે દેડ. પરસ્પર તે બને વાનરાઓએ ક્રોધથી વ્યાસ થઈને દાંતે દાંત અને નખે નખવડે મહાભયંકર યુદ્ધ આરંહ્યું. યુવાન વાનરે મુક્કીના પ્રહારથી વૃદ્ધ વાનરના અંગનું હાડકું ભાગી નાખ્યું. જેથી તે વૃદ્ધ વાનર તુરત ધીમે ધીમે નાસી જવા લાગ્યો, એવામાં પેલા યુવાન વાનરે ક્રોધથી પથ્થર ફેંકીને નાસી જતા એવા વૃદ્ધ વાનરનું માથું ફાડી નાખ્યું. તીવ્ર પ્રકારની વ્યથાથી દુઃખી થએલો તે વૃદ્ધ યુથપતિ વાનર છુટી ગએલા પક્ષીની પેઠે બહુ દૂર નાસી ગયો. પથ્થરના પ્રહારથી ઉત્પન્ન થએલી પીડાને લીધે તેને તૃષા લાગી, તેથી તે ખેડગતે ખેડંગતે ભમતે છતો જલની શોધ કરવા લાગ્યો, તો તેણે પર્વતના કેઈ એક ભાગમાં શિલાજિત જે. “આ પાણું છે” એમ ધારી તેણે તે શિલાજિતમાં મુખ નાખ્યું તેથી તે ભૂમિમાં નાખેલા ખીલાની પેઠે ચાટી ગયું “ મુખને ખેંચી લઉ” એમ ધારી તેણે તેમાં બે હાથ નાખ્યા; તે પણ તેમાં ચોટી ગયા. છેવટ પગ પણ તેમજ ચોટી ગયા. પછી ખીલાથી વિંધાયેલા અંગવાલાની પેઠે તે વાનર ત્યાંજ મુત્યુ પામ્યો. જે તે વાનરે પિતાના હાથ પગ બહાર રાખી મુખને ખેંચ્યું હોત તો તે શિલાજિતથી નિચે નિકલત. જંબૂકુમાર કનકસેનાને કહે છે કે હે પ્રિયે ! એવી રીતે જિહુવા ઇદ્રિયમાં લુબ્ધ થએલે માણસ સ્ત્રીઓ ઉપર સંગ કરવા રૂપ સમુદ્રમાં પાંચ ઇન્દ્રિયેથી વાનરાની પેઠે ડુબી જાય છે, તેમ થવાથી તે પ્રાણું બહુ દુઃખ પામતો છતો મૃત્યુ પામે છે. પણ હે કમલાદને ! હું તે વાનરાના જેવો રાગી નથી પણ રાગમુકત છું.” પછી અષભ શ્રેષ્ઠીના પુત્ર જંબૂકમારને નભ:સેનાએ કહ્યું. “હે નાથ ! આપ પેલી સ્થવિર (વૃષ્ય સ્ત્રી) જેવા ન થાઓ, સાંભલો તેની કથા આ પ્રમાણે છે કે ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની બે વૃદ્ધ સ્ત્રીએ રહેતી હતી, તેઓ જન્મથી માંડીને બહેનપણીઓ હતી તેમજ દરિદ્રતાથી દુઃખી હતી. તે ગામની બહાર લક નામના યક્ષનું મંદિર છે, તે કલ્પવૃક્ષની પેઠે લેકેના ઇચ્છિત કાર્ય પૂર્ણ કરતે હતો. દારિદ્રરૂપ-અગ્નિથી દગ્ધ થએલા અંગવાળી બુદ્ધિ નામની વૃદ્ધ સ્ત્રીએ દરરોજ તે યક્ષની મન, વચન અને કાયાવડે ભક્તિ કરવા માંડી. દરરોજ ત્રણ વખત યક્ષમંદિરને પ્રમાર્જન કરે અને પૂજાની સાથે ઉત્તમ નૈવેદ્ય પગ ધરે. એમ સેવતાં પ્રસન્ન થયેલા યક્ષે તે બુદ્ધિ નામની વૃદ્ધ ડોશીને કહ્યું કે હે દરિદ્રી સ્ત્રી ! હું તને શું આપું ?” કારણ કે બહુ આરાધના કરવાથી પાષાણુ પણ પ્રસન્ન થાય છે. ડોશીએ કહ્યું “હે દેવ ! જે આપ હારા ઉપર પ્રસન્ન થયા છે તે હું જેથી સંતોષ પામીને સુખે જવું તે મને આપ.” યક્ષે કહ્યું. “હે શુભે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy