SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ બીજખસ્વામી નામના ચરસકેવલીની સ્થા તે પણ ચાંડાલીના ઉદરથી ઉત્પન્ન થએલા બે બાળકોને નિરંતર હર્ષથી રમાડતા એવા તેને કાંઈ દુઃખ જણાતું નહિ. મેળામાં બેઠેલા અને વારંવાર પેસાબ કરતા એવા તે પુત્રના મૂત્રથી થતા સ્નાનને તે વિદ્યુમ્માલી, સુગંધી જળના સ્નાન સમાન માનવા લાગ્યા. ચાંડાલીની પગલે પગલે તેને તિરસ્કાર કરતી તે પણ તે મૂર્ખ પિતાને ભાગ્યવંત માનતે છતે તે સ્ત્રી ઉપરના સ્નેહને લીધે તેને દાસ થઈને રહેતે. ઉત્તમ બુદ્ધિવાળો મેઘરથ ફરી પણ ભ્રાતૃસ્નેહને લીધે ત્યાં આપે. અને વિદ્યુમ્ભાલીને આલિંગન કરી કહેવા લાગ્યું. “હે કુલિન ! તું આ ચંડાલકુલને વિષે ન રહે. તને તેના ઉપર આ રૂચિ શી? શું માનસરોવર ઉપર કીડા કરનાર હંસ, ઘરને આગણે રહેલા દુગંધિજલવાલા તલાવને વિષે રમે ખરે? હે જડ! જેમ અગ્નિ ધુમાડાથી ઘરને મલિન કરે તેમ તું જે કુલમાં ઉત્પન્ન થયે છે તે કુલને પોતાના કુકર્મથી મલીન ન કર.” મેઘરથે આવી રીતે તેને બહુ સમઝાવ્યા. પણ તેણે તેની સાથે જવાની ઈચ્છા કરી નહીં ત્યારે મેઘરથ “જે બનવાનું હોય તે અન્યથા થતું નથી ” એમ કહી પાછો ગયે. પછી મેઘરથે પિતાનું રાજ્ય દીર્ધકાળ પર્યત પાળી અવસર આવ્યે પોતાના પુત્રને સેંપી પોતે શ્રી સુસ્થિત ગુરુ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તપ કરતે તે મેઘરથ દેવતા થયો. આ પ્રમાણે મેઘરથ અધિક સુખશ્રી પાપે અને વિદ્યુમ્ભાલી ભયંકર એવી સંસારરૂપ અટવીમાં ભમે. (જંબૂકમાર પદ્યસેનાને કહે છે કે, પ્રિયે! એક્ષલક્ષ્મીના સુખમાં લંપટ એ હું વિદ્યુમ્ભાલીની પેઠે તમારા ઉપર અધિક રાગવા નહીં થઉં.” પછી કનકસેનાએ કહ્યું. “જરા હારું કહ્યું માને, આપ શંખ ધમનકની પેઠે. : અતિશય આગ્રહ ન કરે. સાંભળે તે શંખ ધમનકનું દ્રષ્ટાંત: હે પ્રિય! શાલિ ગ્રામમાં કોઈ એક ખેડુત રહેતું હતું તે હંમેશાં સૂર્યારતથી સૂર્યોદય પર્યત રાત્રીએ ક્ષેત્રનું રક્ષણ કરતો હતો. ક્ષેત્રરૂપ સમુદ્રમાં મંચરૂપ વહાણ ઉપર બેઠેલા તે ખેડુત નિત્ય ઉડી આવતા પક્ષીઓને શંખ ફૂંકવાથી દૂર ઉડાડી મૂકતો. એકદા કુર ચિરવાલા કેટલાક ચોરે ગાયનું ધણ ચરીને પિલા ખેડુતના ક્ષેત્રની પાસે આવ્યા, એવામાં તેઓએ શંખને શબ્દ સાંભ. સુરત તેઓ ગાયના ધણને ત્યજી દઈ દશે દિશાએ પલાયન કરી ગયા. સવાર થતાં ગાયોનું ધણ ધીમે. ધીમે ચરતું પેલા ક્ષેત્રની પાસે આવી પહોંચ્યું. પછી પેલો ખેડુત કોધથી હાથમાં લાકડી લઈ ગાયોના ધણ સામે દેડ, પણ ગાયેના ધણનું કે રક્ષણ કરનાર, તેની નજરે પડયું નહીં. તેથી તે વિચાર કરવા લાગ્યું. “નિચે મહારા શંખ શબ્દથી થએલા ભયને લીધે ચેરે ગાયોના ધણને ત્યજી દઈ નાસી ગયા છે. ખર
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy