SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને સિંહ નામના મુનિગની કથા (૨૫) જેવું જિનેશ્વર કહે છે તેવું આ માણસ પોતે બોલે છે અથવા જે આમને મેહન હોય તે તે તે જે કહે છે તે સત્ય છે. માટે ચાલ હમણાં તે જિનેશ્વર પાસે જાઉં, હું આજ કારણથી સર્વ દુઃખને નાશ કરનારી દીક્ષાને નિંદું છું. આ પ્રમાણે વિચાર કરી તે ઈશ્વર જિનેશ્વર પાસે જવા નિકો પણ ત્યાં તેમને દીઠા નહીં, તેથી વ્યાહિને લીધે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા અને વાંદરાના સરખી જડ બુદ્ધિરૂપ ધનવાલા તેણે ગણધર પાસે ચારિત્ર લીધું. ઉદય તીર્થપતિ મેક્ષગતિ પામે છતે સભામાં બેઠેલા ગણધરે કહ્યું કે “જિનેશ્વરે જેટલું અવાએ કહ્યું છે તે સર્વ ઉકિત કહેવાય છે જે માણસ પૃથ્વીના એક પણ જીવને મન વચન અને કાયાથી હણે છે તેને તીર્થકરોએ જિનશાસનમાં અસંયત કહો છે.” ગણધરનાં આવાં વચન સાંભલી ઈશ્વર વિચાર કરવા લાગ્યો કે “પૃથ્વીકાય જીવ સર્વ સ્થાનકે પીડા પમાડાય છે તે તેનું રક્ષણ કરવા કેણ સમર્થ છે? આ વચન કેવલ લઘુતા કરનારું હોવાથી શ્રદ્ધા રાખવા જેવું નથી. કયે પુરૂષ આવું ઉન્મત્તનું બોલવું સાંભલી અહીં ઉભે રહે? માટે આ પક્ષને ત્યજી દઈ કાંઈક મધ્ય પક્ષના ચારિત્રનું વર્ણન કરે તે અહીં સર્વે માણસ પ્રીતિ પામે. હાહા હું હણાયે છું અથવા તે હું આ આચરીશ નહીં. શું સર્વજ્ઞ પુરૂએ કહેલો ધર્મ સર્વ માણસો આચરતા નથી. હમણાં હું જિનવચનને અન્યથા કરવારૂપ પ્રાયશ્ચિત્ત લઈશ” એમ કહી તે ઈશ્વર, પ્રત્યેકબુદ્ધ મુનીશ્વર પાસે ગયે. ત્યાં તેમના ધર્મોપદેશને વિષે પણ તેણે “પૃથ્વીકાય વિગેરેને ત્રણ પ્રકારને આરંભ મુનિઓ ત્યજી દે છે” એવું વચન સાંભળ્યું. ઈશ્વર વિચાર કરવા લાગ્યો કે “ક માણસ આ લોકમાં આરંભ નથી કરતો? અથવા શું આ પોતે પણ આરંભ નથી કરતો? તે પોતે પણ પૃથ્વી ઉપર બેસી અગ્નિથી રાંધેલું ભક્ષણ કરે છે અને જલ પીએ છે પિતાને વિષે વિરૂદ્ધ પડે તેમ આ મુનીશ્વર જેમ તેમ બેલે છે. જો કે તે ગણધર વિરૂદ્ધ વચન તો બોલતા હતા તો પણ આ કરતાં તો તે સારા હતા. માટે આ બન્નેથી મહારે સર્યું. હું પોતેજ એ ધર્મ કહીશ કે જે વિરક્ત બુદ્ધિવાલે માણસ સુખેથી આચરણ કરી શકે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે ઈશ્વરના મસ્તક ઉપર આકાશથી વિજળી પડી તેથી તે મૃત્યુ પામીને સાતમી નરકને વિષે ઉત્પન્ન થયો ત્યાં તે ઉસૂત્ર નિરૂપણુના તેમજ અસમ્યક્ત્વના પાપથી ઉત્પન્ન થએલા દુઃખને દીર્ઘકાલ પર્યત ભેગવી છેવટ સમુદ્રમાં મત્સ્ય રૂપે ઉત્પન્ન થયા ત્યાંથી સાતમી નરકે ગમે ત્યાંથી નિકલીને કાગડો થયે ફરી પહેલી નરકે ગયા. ત્યાંથી નિકલી ફરી તે દુબુદ્ધિવાલે કુતરે થયે વલી પડેલી નરકે ગમે ત્યાંથી છ ભવ પર્યત ગધેડો થયા પછી તે ભિલ રૂપે મનુષ્ય જન્મ પામ્યો. ફરી મૃત્યુ પામી બીલાડો થયો અને તે ભાવમાં મૃત્યુ પામી નરકે ગયે. ત્યાંથી નિકલી કઢી અને અસંખ્ય જેથી વ્યાસ શરીરવાલે ચાફિક થયો. પાંચશે વર્ષ પર્યત એ ભક્ષણ કરે તે ચારિક મત્યુ પામી ૩૪.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy