SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને શ્રાસિંહ નામના મુનિ પુગોની કથા(૯) નામ લઈ પોતાને છુપાવતો છતો મૃષા શા માટે બેલે છે ? હે મૂઢ ! તું પોતે ગોશાલે મહારે શિષ્ય છે. બીજે નહિ.” શ્રી અરિહંતના આવા વચનથી અત્યંત ક્રોધ પામેલે શાલે પ્રભુને કહેવા લાગ્યું. “ હે કાશ્યપ ! તું અજ્ઞ છે, તુચ્છ છે, ભ્રષ્ટ છે, તેમજ નહિ જેવો છે.” આ વખતે સર્વાનુભૂતિ કે જે વીરપ્રભુને શિષ્ય થતું હતું તે ગુરૂભક્તિને લીધે ગોશાલાનાં વચન સહન કરવાને શક્તિવંત થયે નહિ તેથી તેણે શાલાને કહ્યું. “ તને આ ગુરૂએ દીક્ષા આપી છે એમણે શિક્ષા આપી છે છતાં અત્યારે શા માટે ના કહે છે. કારણ નિચે તું તેજ ગોશાલે છે.” પછી બહુ ક્રોધ પામેલા શાલે તેજ વખતે સર્વાનુભૂતિ ઉપર અનાહત એવી તેમજ ઉગ્ર માહામ્યવાલી તેજોલેશ્યા મૂકી. તેલેશ્યાથી શરીર બલી જવાને લીધે સર્વાનુભૂતિ શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સહસ્ત્રાર નામના દેવકને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા. ગોશાલો પણ પિતાની તેજોલેશ્યાની શક્તિને ગર્વ ધારણ કરવાને અર્થે વારંવાર પ્રભુનો તિરસ્કાર કરવા લાગ્યો. સુનક્ષત્ર નામે પ્રભુને શિષ્ય હતા તે સર્વાનુભૂતિની પેઠે પ્રભુની ભક્તિને લીધે ગુરૂના નિદક એવા ગોશાલાને શિખામણ આપવા લાગે. ગોશાલાએ તેના ઉપર પણ તેજલેશ્યા મૂકી. તેજલેશ્યાથી ખેલતા દેહવાલા સુનક્ષત્રે તુરત શ્રીજિનેશ્વરને પ્રદિક્ષણ કરી ફરી વ્રત અંગીકાર કરી તેમજ પ્રતિક્રમી તથા આલોચના લઈ મુનિઓને ખમાવી અને મૃત્યુ પામી અયુત દેવલોકમાં દેવ પદવી સ્વીકારી. પછી દયાધારી એવા શ્રી વીરપ્રભુએ કટુ વચનથી આક્રોશ કરતા એવા તેમજ વિજયને ગર્વ ધરતા એવા ગોશાલાને કહ્યું – હે દુષ્ટ ! મેં તને ભણાવ્યો, દિક્ષિત કર્યો અને પ્રતિબધ્ધ છતાં તું આવું અયોગ્ય બેલે છે તે હારી સુમતિ કયાં નાશ પામી ગઈ?” આ પ્રમાણે વીપ્રભુના કહેવાથી અત્યંત ક્રોધ પામેલા પોતે ગોશાલે, કાંઈક અરિહંત પ્રભુની પાસે આવી તુરત તેમના ઉપર તેલેશ્યા મૂકી તે તેલેફ્સાવડે પ્રભુના અંગને વિષે માત્ર તાપ ઉત્પન્ન થયે. તેવેશ્યા પણ પ્રભુની પાસેથી પાછી ફરી ક્રોધ પામીને શાળાના શરીરમાંજ પેઠી. જો કે તે જલેશ્યાથી ગોશાલાનું અંતર બલતું હતું પણ તે ઉદ્ધત ધીરજ રાખી વદ્ધમાન જિનેશ્વરને આ પ્રમાણે કહેવા લાગ્યું. હે કાશ્યપ ! તું હારી તેજલેશ્યાથી બહુ દુઃખ પામી પિત્તજવરથી દુઃખી થઈ છઘસ્થપણે રહ્યો છતો છ માસને અંતે મત્યુ પામીશ.” પ્રભુએ શાલાને કહ્યું. “ હે ગોશાલા ! નિચે આ હારું વચન મિથ્યા છે. કારણ સર્વજ્ઞ એવો હું હજુ બીજા શોલ વર્ષ વિહાર કરીશ. વળી પિત્તવરથી પીડા પામેલો તે પોતે જ પિતાની તેજલેશ્યાથી આજથી સાતમે દિવસે મૃત્યુ પામીશ, એમાં જરાપણ સંશય નથી. ” પછી તેલેશ્યાથી બલતા શરીરવાલ મખલીપુત્ર ગોશાલે વાયુથી ઉખડી ગએલા શાલ વૃક્ષની પેઠે પૃથ્વી ઉપર પડશે. આ વખતે ગુરૂની અવજ્ઞાથી ક્રોધ પામેલા ઈંદ્રભૂતિ વિગેરે મુનિઓ મર્મને વીંધી નાખનારા ઉંચા શબ્દથી શાલાને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy