SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૯) શ્રીષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ છે, માટે હું તેને મારી નાખું” આમ ધારી તેણે લોહલંઘને માર્ગમાં ભાથા માટે વિષવાળા મેદક આપ્યા. લેહજઘે પણ તે મોદક લઈ પોતાની પાસે રહેલું પહેલાનું ભાથુ ફેંકી દીધું. પછી તે ત્યાંથી પોતાની નગરી તરફ જવા નિકળ્યો. કેટલાક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી લેહજંઘ એક નદીને કાંઠે ભાથું ખાવા બેઠે. ત્યાં તેને અપશુકન થયા તેથી તે ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા. બહુ ભૂખ લાગી હોવાથી તે કેટલેક દૂર જઈ વળી ખાવા બેઠે ત્યાં પણ તેને અપશુકને ભજન કરતાં નિવાર્યો. આ પ્રમાણે તે ભેજન ર્યા વિના જ ઉજજયિની નગરી પ્રત્યે આવ્યો ત્યાં તેણે સર્વ વાત ચંડપ્રદ્યતન ભૂપતિને નિવેદન કરી. પછી ચંડપ્રદ્યોતને પણ અભયકુમારને બોલાવી તે વાત પૂછી એટલે બુદ્ધિમાન એવા અભયકુમારે તે મોદક ભરેલી ચામડાની કોથળી સુંધીને કહ્યું કે “આમાં દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થએલો દષ્ટિવિષ સર્પ છે. માટે જે પુરૂષ તે કેથળીને ઉઘાડશે, તે પુરૂષ નિચે ભસ્મીભૂત થશે. તેથી તે કોથળીને વનમાં અવળે મોઢે ઉભા રહી છેડી દેવી.” અભયકુમારે આમ કહ્યા છતાં પણ લેહજંઘે વનમાં સવળા મુખે ઉભા રહી કોથળી છોડી દીધી. જેથી પાસેના વૃક્ષો ભસ્મીભૂત થઈ ગયાં અને લેહજંઘ મૃત્યુ પામ્યો. ચંડપ્રદ્યતન ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “તું હારી કેદથી છુટવા વિના બીજું કઈપણુ વરદાન માગ.” અભયકુમારે કહ્યું. “તે વરદાન હમણાં ભંડારે રાખો.” હવે ચંડપ્રદ્યતન રાજાને અંગારવતી રાણથી ઉત્પન્ન થએલી વાસવદત્તા નામની ઉત્તમ રૂપવાળી પુત્રી હતી. ભૂપતિએ તેને ફક્ત એક ગાંધવી કળા વિના બાકીની સર્વ કળાઓને ગુરૂ પાસે અભ્યાસ કરાવ્યું હતું. એક દિવસ ચંડપ્રદ્યોતન ભૂપતિએ અભયકુમારને પૂછયું કે “કેઈ એ પુરૂષ છે કે જે સર્વ ગંધર્વ ક્લાને જાણ હોય?” અભયકુમારે કહ્યું સર્વ પ્રકારની ગંધર્વ કળાના જાણુ પુરૂષોમાં પણ મૂખ્ય એ અને જાણે સાક્ષાત્ તુંબરૂ પિતેજ હોયની? એવો ઉદાયનકુમાર હમણું ગધર્વકળામાં ઉત્તમ સંભળાય છે. કેઈ પણ ગંધર્વકલા તેને નથી આવડતી એમ નથી. વનાવસ્થાવાળે તે રાજકુમાર હસ્તિઓને મોહ પમાડી બાંધી લે છે. ઉદાયન કુમારના ગીતથી દેહ પામેલા ગજેંદ્રો પણ જાણે ખંભિત થઈ ગયા હાયની ? એમ પિતાને થએલા બંધનને નથી જાણતા. જેવી રીતે તે રાજકુમાર વનમાં ગીત પ્રગથી હસ્તિઓને બાંધે છે તેવી રીતે તે રાજકુમારને બાંધવાને તથા અહિં લાવવાને પણ તેજ ઉપાય છે. તે એકે યંત્રના પ્રગથી ઉભા રહેવાની, ચાલવાની તથા સુંઢ વાળી ટુંકી કરવાની ક્રિયા કરતે હોય તે તે તે વનમાં સાચાના સરખે એક કપટહસ્તિ બનાવ.” પછી ચંડપ્રોતને “ બહુ સારું બહુ સારું” એમ કહ્યું એટલે અભયકુમારે તે વનમાં સાચા હસ્તિથી પણ અધિક ગુણવાલે એક કપટહસ્તિ બનાવ્યું. વનેચર લેકે સુંઢને લાંબી ટુંકી કરવી, વૃક્ષને દંતપ્રહાર કરે ઈત્યાદિ ચેષ્ટાથી તે ગજેને સાચો
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy