SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) શ્રીનકષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ નગરીમાં જતા રહ્યા. પછી ચોદ મુકુટબુદ્ધ રાજાઓએ ચંડપ્રદ્યતન ભૂપતિને કહ્યું કે “ નિચે એ અભયકુમારે કપટ કર્યું હતું. અમે એવું કામ કરનારા નથી. ” એમ કહી તેઓએ સેગન ખાઈ ઉજજયિનિના પતિને વિશ્વાસ ઉપજાવ્યું. પછી ચંડપ્રદ્યોતને ક્રોધ કરીને સભા મળે કહ્યું કે જે અભયકુમારને બાંધી મને સેપે તેને હું બહુ દ્રવ્ય આપીશ. ” આ વખતે ત્યાં કોઈ ગણિકાએ હાથ ઉચો કરી ભૂપતિને કહ્યું કે “હે સ્વામિન્ ! એ કાર્ય કરવામાં હું નિપુણ છું. ” ચંડપ્રદ્યોતને તેણુને કહ્યું. “તું એ કાર્ય કરે અને તે કાર્ય કરવામાં ત્યારે દ્રવ્યાદિકની જે કાંઈ સહાય જોઈતી હોય તે હમણાં કહે કે તે હું તને આપું.” ગણિકાએ વિચાર્યું જે અભયકુમાર બીજા કઈ પણ ઉપાયથી પકડી શકાય તેવો નથી માટે હું ધર્મ છલ કરી હારું પિતાનું કાર્ય સાધુ. ” આમ ધારી તેણીએ ચંડપ્રદ્યતન પાસે પિતાના સ્વરૂપવાલી બે સ્ત્રીઓ માગી. ચંડપ્રદ્યોતને પણ તેવી બને સ્ત્રીઓ ગણિકાના સ્વાધિનમાં કરી તેણીને બહુ દ્રવ્ય આપ્યું. પછી બુદ્ધિવંત એવી તે ત્રણે સ્ત્રીઓ બહુ પ્રયત્નથી શાસ્ત્રને અભ્યાસ કરી જૈનધર્મમાં પ્રવીણ થઈ. ત્યારપછી તેઓ માયાવૃત્તિથી અભયકુમારને છેતરવા માટે તુરત રાજગૃહ નગર પ્રત્યે ગઈ. ત્યાં તે ગણિકા પોતાની સખીઓ સહિત હારના ઉદ્યાનમાં નિવાસ કરી રાજગૃહ નગરમાં ચિત્યવંદન કરવા માટે જિનમંદિરે ગઈ. ઉત્તમ આભૂષણદિથી સુશોભિત એવી તે ગણિકા પિતાની બન્ને સખિઓ સહિત, શ્રેણિક ભૂપતિએ કરાવેલા જિનમંદીરમાં ત્રણ નિસિહિ કરીને પિઠી. વિધિ પ્રમાણે જિનપૂજન કરીને ગણિકા માલકેષાદિ રાગથી ચૈત્યવંદન કરવા લાગી. આ વખતે અભયકુમાર પ્રભુને વંદના કરવા માટે ત્યાં આવ્યું તો તેણે પોતાની નજીક સખીઓસહિત ચૈત્યવંદન કરીને જેટલામાં ઉભી રહે છે તેટલામાં ભાવથી દેદીપ્યમાન એ અભયકુમાર તેણુની પાસે આવ્યો અને તેણીના તેવા ઉત્તમ વેષ, તેવાજ ઉપશમ અને તેવી જ ભાવનાનું હર્ષથી વખાણ કરવા લાગ્યા. વળી તે અભયકુમાર ગણિકાને કહેવા લાગ્યો કે “હે ભદ્રે ! તમારા સરખા સાધમિકનું આવવું તે ભાગ્યથી જ થાય છે. આ સંસારમાં વિવેકી પુરૂષને સાધર્મિક વિના બીજું કઈ બંધુરૂપ નથી તમે કયું છે? શા માટે આવ્યાં છે? તમારું નિવાસસ્થાન ક્યાં છે? અને આ 'તમારી સાથે રહેલી બન્ને સ્ત્રીઓ કોણ છે? કે જેનાથી તમે સ્વાતિ અને અનુરાધાથી યુક્ત એવી ચંદ્રકલાની પેઠે શો છો ?ગણિકાએ કહ્યું. “હું ઉજજયિની નગરીના રહેવાસી હોટ શ્રેણીની આી છું અને પૂર્વ ભવના દુષ્ટ કર્મોદયથી વિધવા થઈ છું. હે મંત્રિન ! આ બન્ને સ્ત્રીઓ પણ હારા પુત્રની પ્રિયા છે. તે બને જણીઓ પણ દુર્દેવગથી વૃક્ષ ભાગી પડવાથી લતાની પેઠે વિધવા થઈ છે. વિધવા થયા પછી તે બન્ને જણીઓએ ચારિત્ર લેવાની મારી પાસે રજા માગી. કારણ કે સતી એવી વિધવા સ્ત્રીને ચારિત્ર એજ શરણ છે. તે વખતે મેં પણ એમ કહ્યું કે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy