SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરાભના પૂર્વ માતાપીતાનો સંબંધ. (૧૧) ગતમ ગણધરે જાણતા છતાં પણ ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડવા માટે વિનયથી શ્રી વીર પ્રભુને પૂછયું. “હે જિનવરંદ્ર! તમને જોઈને આકુલ વ્યાકુલ ચિત્તવાલી, વૃદ્ધાવસ્થાવાલી અને સતી એવી આ દેવાનંદાના સ્તને કેમ કરે છે?” પ્રભુએ કહ્યું. હે ઈંદ્રભૂતિ ! નિશે એ સર્વ મેહનું વિલસિત છે.” ગતમે કહ્યું. “એ શી રીતે ? જિનેશ્વરે સર્વ વાત કરવાને આરંભ કર્યો. શ્રીવીર પ્રભુ, ગૌતમને કહે છે કે તે પૂર્વે આ પ્રશ્ન ભરતીકર્તિએ શ્રી આદિનાથને પૂછ હતું કે “હે સ્વામિન્ ! આ પષદામાં કોઈ એ છે કે જે ભવિષ્યકાલમાં જિનેશ્વર થવાને હાય?” શ્રી ઋષભદેવ પ્રભુએ કહ્યું. “હે ભરત ! સભામાં એવો કોઈ જીવ નથી જે આવતા કાલમાં જિનેશ્વર થાય. પરંતુ સભાની બહાર ત્યારે પુત્ર મરીચિ જે ત્રિદંડી થઈ રહેલે છે તે આ ચોવીશીમાં ત્રણ જગને પૂજ્ય એવો શ્રી વર્ધમાન નામે ચોવીસમો જિનેશ્વર થશે. વલી તે મહાવિદેહ ક્ષેત્રની સૂકા નગરીમાં પ્રિય મિત્ર નામે ચકકતિ અને આ ભરતક્ષેત્રમાં આદ્ય ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થવાનો છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલે ભરત, જિનેશ્વરને પ્રણામ કરી તુરત પરિવાર સહિત મરીચિને વંદન કરવા ગયા. ત્યાં તેણે મરીચિને કહ્યું “હે મરીચિ ! તું મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થવાનો છે ને આ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામે પહેલે વાસુદેવ થવાને છે એ હેતુથી નહિ પરંતુ તે છેવટે આ ભરતક્ષેત્રમાં વીશમે વીર નામે તીર્થંકર થવાને છે માટે ભક્તિથી તને વંદન કરું છું.” ભરત ચક્રવતી મરીચિને આ પ્રમાણે કહી અને તેની ત્રણ પ્રદક્ષિણ પૂર્વક ભક્તિથી વંદના કરી પોતાની વિનીતા નગરી પ્રત્યે ગયે. પાછલ જેને અભિમાનને સમૂહ ઉત્પન્ન થયે છે એ મરીચિ ભુજાફાલન કરીને મેહથી પોતાના મુખવડે આ પ્રમાણે કહેતો છતે બહુ નાચવા લાગ્યો. “અહો ! યુગાદીશ હારા પિતામહ (દાદા) છે. ભરત ચક્રવતી જેવા હારા પિતા છે. હું પણ સર્વે વિષ્ણુને પણ મુખ્ય વિષણુ થઈશ અર્થાત્ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થવાનો છું. ખરેખર અમારા કુલમાં સર્વ પદાર્થો મોટાઈનાજ આવી મલ્યા છે માટે લેકમાં નિરંતર અમારું કુલ સર્વોત્તમ છે.” આ પ્રમાણે અત્યંત કુલમદ કરતા એવા મોહને વશ થએલા તે મરીચિએ બહુ દઢ એવું નીચ નેત્ર કર્મ ઉપાર્જન કર્યું. પછી મરીચિ, ભવ્યજીને બાધ પમાડી ઉત્તમ સાધુઓ પાસે મેકલવા લાગે. કોઈ પૂછે ત્યારે તે કહેતા કે મહારી પાસે નિર્મલ ધર્મ નથી. કેઈ એક દિવસે તે મરીચિને કાંઈ વ્યાધિ થઈ આવ્યું. સર્વ વિરક્ત એવા સાધુઓથી પણ સહાય વિના નિરંતર ચારિત્ર પાળી શકાતું નથી એમ માની વિચાર કરવા લાગ્યું કે “હારાથી સહાય વિના આ દુષ્કર એવું તપસ્વીપણું પાળી શકાશે નહીં. માટે હું એક વિનેય શિષ્ય કરીશ.” એકદા મરીચિ નિરોગી થયે એટલે કપિલ નામને કઈ પુરૂષ તેને ધર્મ પૂછવા લાગ્યું. તેથી તે તેની અગિલ યતિધર્મનું વર્ણન કરવા લાગ્યા. તે ધર્મ સાંભલીને પછી પ્રતિબધ પામેલા કપિલે કહ્યું કે “તે ધર્મ મને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy