SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુબાહુ મારા નામના મહિષની કથા. (૨૫) શ્રેષ્ઠી વસતે હતે. એકદા તે નગરના સહસાગ્ર વનમાં પાંચસે સાધુસહિત શ્રીધર્મશેષ મુનીશ્વર સમવસર્યા. તે સાધુઓમાં એક સુદત્ત નામને શિષ્ય માસ માસના ઉપવાસ કરનારે જીવિત પર્યત ક્ષમાધારી અને સ્પષ્ટ સંયમધારી હતા. શાંત ચિત્તવાળે અને ઉત્તમ સત્ત્વધારી તે શિષ્ય માસક્ષમણુને પારણે પોતાના ગુરૂની રજા લઈ નગરમાં આવ્યો. ઉંચ નીચ ઘરે પ્રત્યે ગોચરી માટે ફરતા ફરતા તે મુનિ સૂક્ષમ શ્રેણીના ઘરની નજીક આવી પહોંચ્યા. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિવાળા અને બીજા અનેક ગુણોથી યુક્ત એવા તે મુનિને આવતા જોઈ હર્ષ પામેલો સૂમ શ્રેણી વિચારવા લાગ્યો. “હું એમ જાણું છું જે આજે હારા ઘરને વિષે ચિંતામણિ વિગેરે રત્ન પ્રાપ્ત થયાં કે જે આ મુનિ માસક્ષમણને પારણે હારા ઘરે આવ્યા.” આમ વિચાર કરી સૂક્ષ્મ શ્રેષ્ઠીએ તેમના સામા સાત આઠ પગલાં જઈ પ્રદક્ષિણા કરી તે મહામુનિને વંદના કરી પછી આસન આપી અને હાથ જોડી શ્રેષ્ઠી કહેવા લાગ્યું કે “ આપ ગ્ય એ પ્રાસુક આહાર સ્વીકારી હારા ઉપર અનુગ્રહ કરે. હું આપના પ્રસાદથી શીધ્ર સંસાર રૂપ સમુદ્રને તરીશ. શું તુંબડા ઉપર મૂકેલો પથ્થર નથી તરતો?” પછી પ્રસન્ન ચિત્તવાલા સુદત્ત મુનિએ દ્રવ્યાદિકના ઉપગથી તે વખતે પિતાનું પાત્ર ધર્યું એટલે હર્ષથી ઉલ્લાસ પામતા શરીરના રોમાંચવાલા કમલ સમાન પ્રફુલ્લિત થએલા આનંદ યુક્ત નેત્રવાલા તે સૂક્ષમ શ્રેષ્ઠીએ પોતાના આત્માને સફલ તથા કૃતાર્થ થએલો જાણતાં છતાં મુનિને બુહ ભક્તિથી પ્રાસુક ભોજન વહારાવ્યું. ચિત્ત, વિત્ત અને સુપાત્રની અતિ દુર્લભ એવી સામગ્રીને પામી તે શ્રેષ્ઠીએ મુનિને આહાર વિહોરાવતાં નીચે કહ્યા પ્રમાણે ફલ ઉપાર્જન કર્યું. પુણ્યાનુંબંધી પુણ્યપણું, સુલભબેધિપણું, મનુષ્યનું આયુષ્ય અને ઉત્તમ ભેગાદિ બાંધીને છેવટ ભવસ્થિતિ પણ અલ્પ કરી. વલી તે વખતે પંચ દિવ્ય થયાં. તેમાં પ્રથમ દેવતાઓએ હંદુભિને નાદ કર્યો, પછી વસ્ત્રની, હિરણ્યની અને પુષ્પની વૃષ્ટિ કરી અને છેવટ “ અહી દાન અહો દાન ” એમ મહેોટા શબ્દથી ઉષણુ કરી. આ વખતે ત્યાં સુખે એકઠા થઈ ગએલા રાજાદિ લોકેએ સૂમ મતિવાલા અને અતિ પુણ્યાત્મા એવા સૂક્ષમ શ્રેષ્ઠીનાં બહુ વખાણ કર્યા. ” પછી દીર્ધકાલ પર્યત તે સૂક્ષ્મ શ્રેષ્ઠી ભેગ ભેગવી સમાધિથી મૃત્યુ પામી આ સૈભાગ્યના ભાગ્યવાળે સુબાહુકુમાર થયો છે. ” શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભલી ગામે ફરીથી પૂછયું કે “ આ સુબાહુ કયારે સંયમ અંગીકાર કરશે ? ” ભગવાને કહ્યું કે હે ગણના અધિપતિ ! અવસરે તે દીક્ષા લેશે. ” પછી પ્રભુએ બીજે વિહાર કર્યો એટલે અખંડિત અષ્ટમી વિગેરેને વિષે પિષધ વ્રત કરતે એ તે સુબાહુ શ્રાવક ધર્મ પાલવા લાગે. એકદા તે સુબાહુ આઠમને દિવસે પોતાની પિષધશાળામાં જઈ, વિધિથી સાફ કરી સાધુની પેઠે પ્રતિલેખન કરેલું દર્શાસન પાથરી અને તેના ઉપર બેસી અહુમ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy