SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુમપત્ર તથા શ્રીચંદ્ર સુરીશ્વરજીના શિષ્યરત્નની કથા, (૧૭) કુર્મા પુત્રે તેમને કહ્યું કે “હે ભદ્રો ! શ્રી તીર્થંકર પ્રભુએ તમને મહાશુક્ર દેવલેકમાં રહેલા દેવમંદિરની વાત ન કહી? કુર્માપુત્રનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને શુભ માનવાલા તે ચારણ મુનિઓ ક્ષપકશ્રેણિના આશ્રયથી કેવલજ્ઞાન પામ્યા. પછી તે ચારણમુનિ જિનેશ્વરને નમસ્કાર કરી કેવલિની પષદામાં ગયા. આ વખતે ઇંદ્ર પ્રભુને પૂછયું કે “હે સ્વામિન્ ! ચારણુ મુનિઓએ બીજા સાધુઓને વંદના કેમ ન કરી?” પ્રભુએ કહ્યું. તેઓને કુપુત્રથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે.” ઇદ્દે ફરી પૂછયું. “હે નાથ ! કુર્માપુત્ર દીક્ષા કયારે લેશે?” પ્રભુએ કહ્યું “આજથી સાતમા દિવસના ત્રીજે પ્રહરે કુર્માપુત્ર કેવલી મુનિવેષ સ્વીકારશે.” હવે અહીં કુર્માપુત્રે અનુક્રમે પિતાના માતા પિતાને પ્રતિબોધ પમાડી દીક્ષાદાનથી અતિ ઉત્તમ ગતિ પ્રત્યે પહોંચાડ્યા. પોતે કેવલી કુર્માપુત્ર પણ પોતાની વાણીના વિલાસથી અનેક ભવ્ય જનેને પ્રતિબોધ પમાડી તથા પોતાના બાકી રહેલા બહુ કમને શિલેશિકરણથી ઝટ ક્ષય કરી ચિદાત્મા રૂપ પિતે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજન! તમે આ પવિત્ર એવા કુપુત્રચરિત્રને સાંભલી નિરંતર મોક્ષ સુખ આપનારા ધર્મને વિષે ચિત્ત રાખો. "श्रीकुर्मापुत्र' नामना महर्षिनी कथा संपूर्ण. - - - जो सासय मुहहेऊ, जाओ गुरुणोवि उवसमसहायो । तं चंडरुहसीसं, वंदे सेपि वरनाणिं ॥ १२६ ॥ ઉપશમ સ્વભાવવાલા જે મુનિ ગુરૂને પણ મેક્ષ સુખના કારણુ થયા, તે એક દિવસના વ્રતધારી અને ઉપશમથી તુરત ઉત્પન્ન થએલા કેવલ જ્ઞાનવાલા ચંડરૂદ્રસૂરિના શિષ્યને હું વંદના કરું છું. જે ૧૨૬ છે == * 'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननी कथा * વિશાલ અને સંપત્તિથી સુશોભિત એવી વિશાલા નગરીમાં સ્વભાવથી અતિ કોધી એવા ચંડરૂદ્ર નામે આચાર્ય રહેતા હતા. “મને હારા સાધુસમૂહથી ક્રોધ ન થાઓ.” એમ ધારી તે આચાર્ય, સાધુઓના સમૂહથી જુદા રહેતા હતા. હવે એમ બન્યું કે કેઈ ન પરણેલે શ્રેષ્ઠીપુત્ર, પિતાના મિત્રો સહિત સાધુને વંદના કરવા આવ્યો. તે વંદના કરતે હો એવામાં તેના મિત્રોએ પરસ્પર હાસ્ય કરતા છતા સાધુઓને કહ્યું કે “હે ભદેતે ! તમે આને દીક્ષા આપો !” સાધુઓએ પણ “આ શઠ છોકરાઓ છે” એમ ધારી કહ્યું કે “હે ભદ્રકે ! અમે કેઈને દીક્ષા આપતા નથી. પણ જો તમે આ તમારા મિત્રને દીક્ષા અપાવવાની ઈચ્છા રાખતા હે તે આ પાસેના ઉપવનમાં અમારા ઉત્તમ બુદ્ધિવાલા ગુરૂ રહે છે તેમની
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy