SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૪) શ્રી કષિમંડલવૃત્તિ-ઉત્તર પણ તેને પિતાના વનમાં લઈ ગઈ. ત્યાંથી તે બહુ વિશાળ વડ વૃક્ષના નીચેના માર્ગે થઈ પાતાળમાં વિવિધ પ્રકારના સુવર્ણ અને મણિમય ઘર પ્રત્યે તેડી ગઈ. તે મણિ મય ઘર જઈ વિરમય પામેલો રાજપુત્ર વિચાર કરવા લાગ્યા કે આહા! મને અહિં કે ઝટ પહોંચાડશે. પછી ભદ્રમુખી ચક્ષણુએ તે વિસ્મય પામેલા રાજપુત્રને પોતાના પલંગ ઉપર બેસારી સેવા કરી અને પછી કહ્યું. “હે સ્વામિન પૂર્વ ભવના પુણ્ય ગથી મેં આજે તમને દીઠા છે. કુમાર દુર્લભ પણ ચક્ષણને જોઈ પિતાના મનમાં “મેં આને ક્યારેક દીઠી છે” એમ વિચાર કરતા ક્ષણ માત્રમાં પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. પછી કુમાર, પૂર્વ ભવની સ્ત્રીને વિષે બહુ અનુરાગ ધારણ કરવા લાગ્યા. કહ્યું છે કે પૂર્વને સ્નેહ ત્યજ સહેલો નથી. પછી યક્ષણી, કુમારના શરીરમાંથી અશુભ પુદગલે કાઢી નાખી તથા બીજા સારા પુદગલે ઉમેરી તેની સાથે ભેગ ભેગવવા લાગી. હવે અહીં શોકથી વ્યાપ્ત થએલા દ્રોણ ભૂપતિએ પુત્રની સર્વ સ્થાનકે શેધ કરાવી. પરંતુ ક્યાંથી તે મલી શકે નહીં. કહ્યું છે કે દેવતાએ આકર્ષણ કરેલી વસ્તુ ક્યાંથી મલી શકે? રાજા અને રાણીએ પુત્રવિયેગથી આહાર પણ ત્યજી દીધે એટલે તેને પિતાના પરિવારે કહ્યું કે આ વાત કઈ કેવલીને પૂછો.” પછી અત્યંત વિયેગથી પીડા પામેલે ભૂપતિ, કેવલી પાસે જઈ વંદના કરવા પૂર્વક યોગ્ય સ્થાનકે બેસી પૂછવા લાગ્યા. હે ભગવન્! વંશના આભુષણ રૂપ હારા પુત્રને કોણે હરણ કર્યો છે? તે અમારા ઉપર ક્રપા કરીને નિવેદન કરો. ” જ્ઞાનીએ કહ્યું. હમણું તમારા પુત્રને યક્ષણીએ હરણ કર્યો છે. ” ફરી રાજા અને રાણી એ બન્નેએ પિતાના પુત્રની સર્વ વાત પૂછી તે સર્વ મુનિરાજે કહી, વલી “એ પુત્ર અમને કયારે મળશે ? એમ તેઓના પૂછવા ઉપરથી મુનિરાજે કહ્યું કે “અમે જ્યારે ફરીથી અહિં આવીશું ત્યારે તે પુત્ર તમને મળશે.” મુનિરાજનાં આવાં વચન સાંભલી વૈરાગ્યવાસિત થએલા રાજા અને રાણીએ દુર્લભના ન્હાના ભાઈ (પિતાના ન્હાના પુત્ર)ને રાજ્યસને બેસારી પતે તેજ મુનિરાજ પાસે ચારિત્ર લીધું. પછી પરીષહને સહન કરતા, તપ કરતા અને અભ્યાસ કરતા તે બન્ને જણા કેવલજ્ઞાની મુનિરાજની સાથે દેશ દેશ પ્રત્યે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પૃથ્વી ઉપર વિહાર કરતા તે સુચન કેવળી રાજ રાષ્ટ્ર સહિત ફરી તેજ દુર્ગમ નગરના દુર્શિદ્યાનમાં આવ્યા. હવે અહિં ક્ષણ, અવધિજ્ઞાનથી દુર્લભને અલ્પ આયુષ્યવાળો જાણું તુરત કેવળી પાસે આવીને પૂછવા લાગી. “હે વિભો ! થોડું પણ આયુષ્ય વધારી શકાય ખરું?” કેવળીએ કહ્યું “અરિહંત પ્રભુ પણ થોડું આયુષ્ય વધારવાને શક્તિવંત નથી.” કેવળીનાં આવાં વચનથી જાણે પોતાનું સર્વ નાશ પામી ગયું હાયની ? એમ નિરૂત્સાહ મનવાળી યક્ષણ ઘરે આવી. પછી કુમારે તેને “તું ખેદયુક્ત કેમ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy