SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી અહિણીને સંબધ. (૧૮૧ ) ગધેડી અને ગાય થઈ. એક દિવસ તે ગાય, પર્વત શિખરના માર્ગે પડી હતી એવામાં તે ગાયે મુનિએ આપેલા નમસ્કાર મંત્રને સાભળે. તે મંત્રના પ્રભાવથી શાંત ચિત્તવાલી ગાય મૃત્યુ પામી પણ બાકી રહેલા કુકર્મના પાપથી તું દુગધા નામે એક પુત્રીપણે ઉત્પન્ન થઈ.” મુનિનાં આવાં વચન સાંભળી જાતિસ્મરણુજ્ઞાન, પામેલી, નરકાદિની પીડાને સાક્ષાત્ દેખતી, અત્યંત ભય પામેલી કંપતી દીન થઈ ગએલા નેત્રવાળી, કરમાઈ ગએલા મુખવાળી, સુકાઈ ગએલા કંઠવાળી અને ભયથી વિહુવલ બનેલી તે દુર્ગધા હાથ જોડીને ગુરૂને કહેવા લાગી. - હે સ્વામિન્ ! હું બહુ ભય પામી છું માટે આ દુઃખસમૂહથી હારો ઉદ્ધાર કરે. વળી ફરીથી હું તેવાં દુ:ખ ન પામું તેમ પણ કરે.” પછી દયારૂપ અમૃતના સમુદ્ર એવા તે અમૃતાસવ નામના મુનિએ, તેણુંના પાપને ઉચ્છેદ કરવા માટે મધુર સ્વરથી કહ્યું. “હે વત્સ! ત્યારે રોહિણી નામના નક્ષત્રને વિષે નિરંતર સાત વર્ષ પર્યત વિધિ પ્રમાણે ક્ષણ (ઉપવાસ) કરવું. આ વ્રત કરવાથી આવતે ભવે કૃષ્ણ ને લક્ષમીની પેઠે તું અશેકચંદ્ર ભૂપતિની સ્ત્રી રોહિણી નામે થઈશ. તે ભવમાં તું શંકરહિતપણે દીર્ધકાળ પર્યત ભેગે ભેગવી તેમજ શ્રી વાસુપૂજ્ય સ્વામીની સેવાથી પતિસહિત મુક્તિ પામીશ. ત્યારે રોહિણી તપનું ઉદ્યાપન ઉત્સવ પૂર્વક કરવું. તે નીચે પ્રમાણે દર્શાવે છે – - વૃક્ષ ઉપર રહિણી અને અશોક ભૂ પતિ સહિત શ્રી વાસુપૂજ્ય સ્વામિની ઉત્તમ શેભાવાલી મૂર્તિ કરવી. તેમની આગળ પ્રાણાતિપાત વજીને શ્રી વાસુપૂજ્ય સ્વામિને સ્નાત્રમોત્સવ કરી તે પ્રભુનું સુગંધિ ચંદન, પુષ્પ, સુવર્ણ અને મણિ વિગેરેથી પૂજન કરવું. પ્રભુની પાસે ફળ નૈવેદ્ય ચોખા વિગેરે મૂકવું તેમજ ગીત નૃત્યાદિકથી પ્રભાવના કરવી. સાધમિકેની વસ્ત્રાભૂષણ તથા ભેજન વડે ભક્તિ કરવી. દીન, જનેને દયાદાન આપવું. પાત્રને વિષે ભક્તિથી શક્તિ માફક દાન આપવું. પિતાના દ્રવ્યથી જૈન પુસ્તક લખાવવાં.” હે વત્સ! વિધિથી વ્રત કરવા વડે તું દુખથી મૂકાઈ જઈને ઉત્તમ ગંધવાળી રાજપત્ની થઈશ.” “આ તપ પૂર્વે કેઈએ કર્યું છે? જે કેઈએ કર્યું હોય તે જ્ઞાનવંત એવા આપ તે અમને કહે?” એમ દુર્ગધાએ પૂછયું એટલે ઉત્તમ પુષ્ટ બુદ્ધિવાળા મુનિએ. સંસારના કલેશને નાશ કરનારી વાણુ કહી. . (અમૃતાસવ મુનિરાજ દુધાને કહે છે કે, આ ભરતક્ષેત્રમાં શકટીલ નામના દેશને વિષે પૂર્વે લક્ષ્મીના નિવાસ સ્થાન રૂ૫ સિંહપુર નામે નગર હતું ત્યાં બહુ યશસમૂહથી પૃથ્વીને ઉજવલ કરનાર અને બહુ રાજસમૂહને ક્ષય કરનારે સિંહસેન નામે રાજા રાજ્ય કરતા હતા. જેણીએ પોતાના શીલગુણથી સ્ત્રીઓમાં નિત્ય મુખ્ય પદ મેળવ્યું હતું એવી તેને કનકના સમાન મનહર કાંતિવાળી કનકપ્રભા નામે સ્ત્રી હતી. તેઓને દિવ્ય રૂપવાળ પણ દુર્ગધ શરીરવાળો એક પુત્ર હતું. જેથી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy