SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી પિહિણી સમય. ( ૧૭૯) તેણીના ખેાળામાંથી લોકપાલ નામના પુત્રને પોતાના હાથમાં લીધે. “હું આ હારા પુત્રને નીચે પૃથ્વી ઉપર ફેંકી દઉં છું.” એમ સ્ત્રીને કહેતા એવા ભૂપતિએ ગેખની બહાર રાખેલા હાથમાં પુત્રને હિંડાળવવા માંડે. દેવગે ભૂપતિના હાથમાંથી પુત્ર જેમ વૃક્ષ ઉપરથી ફળ પડે તેમ નીચે પડયે. રાજલક અને નગરવાસી માણસો “હાહા શબ્દ કરવા લાગ્યા, રાજા, પુત્રની પાછળ પૃપાપાત કરવા તૈયાર થયે અને રાણી “આશું આશું” એમ કહેવા લાગી એટલામાં નગરીની અધિષ્ઠાયિકા. દેવીએ તુરત અધરથીજ બાલકને ઝીલી લઈ વસ્ત્રાભૂષણથી શણગારી ઝટ રાજાના આસન ઉપર મૂક્યો. નગરવાસી લોકેથી સ્ત્રીની અને પુત્રની પુણ્યસ્તુતિ સાંભલી અશોકચંદ્ર ભૂપતિએ ફરી પુત્ર જન્મને મહોત્સવ કર્યો. આ વખતે તે નગરીના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારણહાર રૂપકુંભ નામના આચાર્ય પોતાના માણિકુંભાદિ સાધુઓના પરિવાર સાહત આવ્યા. પ્રિયાસહિત અશોકચંદ્ર ભૂપતિ ગુરૂને વાંચવા માટે ઊદ્યાનમાં ગયે. ત્યાં તેણે ગુરૂને વંદના કરીને કલેશને નાશ કરનારી ધર્મદેશના સાંભલી. પછી મહા ભક્તિ પ્રગટ કરતા એવા તેમણે રોહિણના ભાગ્ય સભાગ્યથી વિસ્મય પામેલા ભૂપતિએ રૂપકુંભ મુનીશ્વરને પૂછયું. “ હે ભગવન ! આ હારી પ્રિયા રેહિણીએ પૂર્વભવને વિષે એવું શું પુણ્ય કર્યું છે. કે જેથી તેને કયારે પણ કલેશને લેશ થતો નથી ? વળી હારે તેણીની સાથે આવે અતિશય પ્રેમ શેને ? અને તેણીના આ સર્વે પુત્રો કેણિ છે?” આ પ્રમાણે બહુ વિનયથી પૂછયું એટલે ઉપશમધારી એવા તે મુનિએ સંસાર; સમુદ્રને તારનારી આવી વાણી કહી. હે રાજન ! આ હારા નાગપુર નગરમાં પૂર્વે વસુપાલ નામે રાજા હતો. તેને વસુમતી નામે સ્ત્રી હતી તે રાજાને લક્ષમીના પાત્ર રૂપ ધનમિત્ર નામનો ગુણવાન શ્રેષ્ઠી મિત્ર હતું તેને ધનમિત્રા નામની સ્ત્રી હતી. તેઓને અનુક્રમે કુરૂપના પાત્ર રૂપ એક પુત્રી થઈ. તે પુત્રીના દેહને બહુ દુગધ હતો. તેથી માતા પિતાએ તે પુત્રીનું દુર્ગધા નામ પાડયું. યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ તે પુત્રીને કઈ પરણ્ય નહીં. તે નગરમાં એક વસુમિત્ર નામે ધનવંત શ્રેષ્ઠી વસતે હતું તેને વસુકાંતા નામે સ્ત્રી હતી. તેઓને શ્રીષેણ નામે પુત્ર હતા. તે શ્રીષેણ ચેરી વિગેરે સાત વ્યસન સેવન કરવામાં બહુ તત્પર હતું. તેથી તેને રાજાના હુકમથી નગરરક્ષક લકો વધ્યભૂમિ પ્રત્યે લઈ જતા હતા. ધનમિત્રે રાજાને વિનંતિ કરી ધનાદિ આપી શ્રણને છોડાવ્યું અને તેને પોતાની પુત્રી દુર્ગધા પરણાવી. શ્રીલેણ દુર્ગધના દુઃખને વધદુઃખથી અધિક માની મહા કષ્ટથી દિવસ નિર્ગમન કરી રાત્રીએ નાસી ગયે. પછી પિતાએ તે દુર્ગધાને દીન પુરૂષને દાન આપવા માટે દાનશાલામાં રાખી. ત્યાં પણ તેણીના હાથથી કઈ ભિક્ષા લે નહિ. પછી સાધુ પાસેથી ધર્મ પામીને શાંત ચિત્ત
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy