SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) પ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ “હે પ્રભો ! શું આપે પણ રાત્રીએ સ્વમામાં નરક દીઠી છે કે ?” મુનિએ કહ્યું. હે વત્સ ! અમે શાસ્ત્રવચનથી નરકનું સ્વરૂપ જાણીએ છીએ, અને જિનેશ્વરીએ તે શાસ્ત્ર યથાર્થરૂપે નિરૂપણ કરેલું છે. ” હવે પુષ્પવતીના જીવ રૂપ દેવતાએ બીજે દિવસે પુષ્પચુલાને સ્વર્ગસુખ સ્વમામાં દેખાડયાં. તેણીએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિએ પાખંડી કેને ફરી બેલોવી સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછ્યું. તેઓએ કહ્યું કે “સારા ભેગ, સંપત્તિ, એશ્વર્ય નિગીપણું અને સારું કુટુંબ એજ સ્વર્ગસુખ જાણવું. આથી બીજું સ્વર્ગ સુખ નથી. ” બીજે દિવસે ભૂપતિએ અનિકાપુત્ર આચાર્યને સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછયું એટલે તેમણે કહ્યું કે “સ્વર્ગ સુખ દેવ અને ભવનપતિ વિગેરે ભેદથી ચાર પ્રકારનું છે. ” એમ કહીને આચાર્યો અસુરની અશ્વર્યતાનું વર્ણન, તેમજ તેમના વર્ણ, અંગમાન અને શક્તિ વિગેરેનું વર્ણન શ્રી જિનેશ્વર પ્રભુના કહેવા પ્રમાણે વર્ણવી દીધું. “ અધર્મથી નર્ક અને ધર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ” એવાં ગુરૂનાં વચન સાંભલી પુષ્પગુલાએ દીક્ષા માટે ભૂપતિની આજ્ઞા માગી. ભૂપતિએ કહ્યું. “ જે તું હારા અંતઃપુરમાંથી હંમેશાં ભિક્ષા લઈ જા તો હું તને દીક્ષા લેવાની આજ્ઞા આપું. નહિ તે નહિ. ” પુષ્પગુલાએ તે વાત અંગીકાર કરી મહા ઉત્સવ પૂર્વક તેજ ગુરૂ પાસે દીક્ષા લીધી. એકદા અગ્નિકાપુત્ર આચાર્ય શ્રુતબળથી આવતા દુભિક્ષકાલને જાણું પોતાના ગણને બીજે મોકલી દઈ પોતે ત્યાં જ રહ્યા. સાધ્વીઓમાં શિરેમણિરૂપ પુષ્યચૂલા નિરંતર અંતઃપુરથી ભેજનાદિ લાવી ગુરૂની સેવા કરતી અનુક્રમે તે પુષ્પચુલા ઉત્તમ અધ્યવસાયથી કેવલજ્ઞાન પામી. તે પણ તેણીએ ગુરૂની સેવા ત્યજી દીધી નહિ છે અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તે પણ હારે ગુરૂનો વિનય ત્યજી દે નહીં” એમ ધારી તેણુએ કૃતજ્ઞપણથી વિનય કરો ચાલુ રાખ્યા. એકદા તે પુષ્પચુલા સાધ્વી વર્ષાદ વરસતે હતો તે પણ ભિક્ષા લઈ આવી. ગુરૂએ તેણીને જોઈ મધુર વચનથી આ પ્રમાણે શિક્ષા આપવા માંડી. હે સુભગે! આ ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલતી એવી તને ષય જીવોની મહા વિરાધના કરવી કેમ ઘટે?” તેણીએ કહ્યું. “હે ભગવન ? હું અચિત્ત પ્રદેશથી અહીં આવી છું.” ગુરૂએ કહ્યું. “તે અચિત્ત પ્રદેશ શાથી જાણ્યો?પુષ્પગુલાએ કહ્યું. “કેવલજ્ઞાનથી.” ગુરૂએ કહ્યું. “અહે? કેવલજ્ઞાનીને અશાતા ઉપજાવનાર એવા મને ધિક્કાર થાઓ, મહારૂં દુષ્કૃત મિથ્યા છે.” આ પ્રમાણે ખેદ કરતા એવા ગુરૂએ કહ્યું કે “અરે મને આ જનમમાં ધીરજ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થશે ?” કેવલીએ કહ્યું. “હે ભગવન ? અધીરજ ન રાખે, તમને પણ ગંગાતટ ઉતરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. ” પછી ગુરૂ, ગંગા ઉતરવા માટે ગંગાતટ પ્રત્યે ગયા. ત્યાં અનિકાપુત્ર આચાર્ય લેકિસહિત ઝટ વહાણમાં બેસવા લાગ્યા. તે ગુરૂ જે બાજુએ બેસવા ગયા તે તરફ વહાણ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy