SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ww /ww w ^^^^ ^ ^^^^^^^^ (૧૭૪ ) શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તર સંબંધી મિથુન નથી સેવને તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ જળમાં ઉત્પન્ન થએલું કમળ જળથી સ્પર્શતું નથી તેમ જે ભેગોથી નથી લેપતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે અલભી, ફેગટ નહિ જીવનારે, અનગાર, અકિંચન અને ઘરને વિષે અનાસક્ત હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે માતા પિતા અને ભાઈ વિગેરેને ત્યજી દઈ બીજાઓની સાથે સ્નેહ નથી કરતો તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેઓ મિથુન સેવનારા હેાય, હિંસા કરનારા હોય, જુઠું બોલનારા હોય, લેભી હોય અને આરંભવાલા હોય તેઓને વિષે પાત્રતા ક્યાંથી હોય? માથે લચ કરવાથી સાધુ થવાતું નથી, જઈ ધારણ કરવાથી બ્રાહ્મણ બનાતું નથી, વનમાં નિવાસ કરવાથી મુનિ થવાતું નથી અને વલ્કલ વસ્ત્ર પહેરવાથી તાપસ કહેવાવાતું નથી. પરંતુ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, ઉપશમથી જ શ્રમણ, જ્ઞાનથી જ મુનિ અને તપથી તાપસ થવાય છે. કર્મથીજ બ્રાહ્મણ કહેવાય છે. ક્ષત્રિય પણ કર્મથીજ થવાય, વૈશ્ય કમ વડે કહેવાય અને શુદ્ર પણ કર્મથીજ થવાય છે. શ્રી તીર્થંકર પ્રભુએ સર્વ માણસોના હિતને અર્થે પ્રથમ અહિંસાદિક ધર્મને નિરૂપણ કરી અને પછી અર્થીદિને પ્રકટ કર્યા છે. જે સ્નાતક પુરૂષ આરાધન કરેલા અર્થાદિકે કરીને સર્વ કર્મથી નિમુક્ત થએલો છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ પ્રમાણે અનેક ગુણેથી યુક્ત જે બ્રાહ્મણે હોય તેજ આત્માને ઉદ્ધરવા સમર્થ છે. ” - આવાં યશેષ મુનિનાં વચન સાંભલી છેદાઈ ગએલા સંશયવાલા વિજયશેષ બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું. “હે મહર્ષિ ! નિ હારા હિતની ઈચ્છાથીજ આપે યથાર્થ સત્ય બ્રાહ્મસુપણું સારી રીતે દેખાડયું. ખરેખર આપજ યજ્ઞના કરનારા, વેદના જાણ, જાતિષશાસ્ત્રના જાણું અને ધર્મના પાર પામેલા છે. વલી આપજ પિતાને તથા પર ઉકરવા સમર્થ છે. માટે હે મુનિરાજ ! મ્હારા ઉપર ભિક્ષા અનુગ્રહ કરે. ” જયશેષ મુનિએ કહ્યું. “ મહારે ભિક્ષાનું કામ નથી, તું સંયમ અંગીકાર કર, કે જેથી તે ભયંકર એવા સંસારસમુદ્રમાં નહિં ભમે. કર્મને લેપ ભેગીઓને થાય છે, જેગીઓને થતું નથી, તેથીજ ભેગી સંસારમાં ભમે છે અને જેગી કર્મથી સૂક્ત થાય છે. કેઈ પુરૂષે એક લીલે અને બીજે સુકે એમ બે માટીના ગોળા ભીંત ઉપર ફેંકયા, તેમાં લીલે ગેળો ભીંત સાથે ચેટી ગયો અને બીજે ન ચેટ એજ રીતે લીલા ગેળા સમાન કામાસક્ત કુબુદ્ધિ પુરૂષે ભેગમાં ચાટી જાય છે, અને સુક્ષ્મ ગોલા સમાન વિરક્ત પુરૂ નથી એટતા.” જયઘોષ મહા મુનિનાં આવાં વચન સાંભલી વિજયશેષ વિપ્રે તેમની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી ઉત્કૃષ્ટા તપ અને સંયમથી કર્મના સમૂહને ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બન્ને મહા મુનિઓ મેક્ષ પામ્યા. ___'श्री जयघोष' अने 'विजयघोष' नामना मुनिवरोनी कथा संपूर्ण.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy