SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી અનાથી નામના નિગ્રંથ મુનિવરની કથા. (૧૬ ) જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જેને ઇર્યાદિ પાંચ સમિતિમાં ગ્યતા નથી તેમજ પરિઝાપનમાં પણ ગ્યતા નથી તેને પણ જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જે દીર્ઘ કાલને દીક્ષા ધારી છતાં સ્થિરત્રત અને શુદ્ધ તપ વિનાનો હોય તેમજ આત્માને અત્યંત બાધા પમાડતો હોય તો તેને પણ શ્રી જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યો છે, જેવી રીતે ખાલી મુઠી, કપટ ખેતી અને વૈદુર્યમાં રહેલા કાચમણિ અસાર છે, તેમજ પંડિત પુરૂષોના ચિત્તમાં ઉપર કહેવા પ્રમાણે ચાલનારે પુરૂષ અસાર માલમ પડે છે. જે સાધુ પિતાની આજીવિકા માટે કુશીલ અને કુલિંગ ધારણ કરે છે તે અસંયમી ધર્મધ્વજ પરલોકમાં નરકના બહુ દુઃખે પામે છે. જેવી રીતે કાલકુટ વિષ પીવું અને યુદ્ધમાં આયુધ પકડવું દુ:ખદાયી છે તેવી રીતે તપસ્વીઓને વિષયયુકત ધર્મ દુર્ગતિનાં દુઃખ આપનારો છે. જે પુરૂષ ઘર ત્યજી દઈ તથા મુનિરૂપ ધારણ કરી અને પછી કોઈની હસ્તરેખા જોઈને, કેઈને સ્વપ્નાની વાત કહીને, કેઈના જેશ જોઈને, કોઈને વિદ્યા ભણાવીને તથા બીજા કેઈ એવાં જ કુતુહલ કરીને પોતાની આ જીવિકા કરે તે પાપી પુરૂષ ખરેખર દુર્ગતિમાંજ જાય છે. જે પુરૂષ નિત્ય આગમમાં કહ્યા પ્રમાણે એષણીય આહાર ન લેતાં અગ્નિની પેઠે સર્વભક્ષી થાય છે, તે સંસારસમુદ્રમાં બહુ ભમે છે. અહો નરેંદ્ર! મહાદુષ્ટાચારની પ્રવૃત્તિવાલો મુનિ જેવું પોતાના આત્માને દુઃખ આપે છે તેવું દુઃખ શત્રુ પણ બીજા જીવને કંઠ છેદીને પણ નથી આપતે માટે તેવા સાધુનું સાધુપણું નિરર્થક છે અને તે અંતે બહુ વિપરીત ગતિ પામે છે અરે એટલું જ નહીં પણ હે નરપતિ ! સાધુને આ ભવ તથા પરભવ પણ નાશ પામે છે. એવી રીતે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનાર કુશીલરૂપ ધારી સાધુ, ધર્મવિરાધનાના ફલને જાણતો છતે શ્રી જિનેશ્વરના માર્ગને વિરાધે છે તે અંતે બહુ પરિતાપ પામે છે. પુણ્યવંત મહાત્માઓના જ્ઞાનગુણે કરીને શોભતા એવા ઉત્તમ શિક્ષણરૂપ વચનને સારી રીતે સાંભળીને સાધુ પુરૂ કુશીલ માને છેડી દઈ . નિરંતર સારા માર્ગે ચાલે છે. ચારિત્રના ગુણે કરીને યુકત તથા આશ્રવરહિત એ સાધુ, આત્મશુદ્ધિથી ચારિત્રને પાલી, સર્વ કર્મને ખપાવી અનંત સુખવાલા નિર્વાણ પદને પામે છે.” અનાથી મુનિનાં આવાં વચન સાંભળી અત્યંત સંતુષ્ટ થએલા શ્રેણિક રાજાએ. હાથ જોડીને કહ્યું “હે મુનિ ! આપે હારી આગલ જે નાથપણું કહ્યું છે તે સત્ય: છે. હે મુનિ! તમને વિશ્વમાં ઉત્તમ એવા મનુષ્યભવના લાભો સારી રીતે મલ્યા છે. તમે પિતાના બંધુઓ સહિત સનાથ છે, કારણકે તમે જિનરાજના માર્ગને વિષે રહ્યા છો. હે મહાત્મા ! તમે અનાથના, સ્થાવરના, જંગમના અને સામાન્ય રીતે કહીએ તે ચૂર્વ દેહધારીઓના નાથ છે. હું મહારે અપરાધ ખમવાની આપની પાસે ક્ષમા માગું છું. વલી હે મહર્ષિ! મેં આપના ધ્યાનનો ભંગ કર્યો તેમજ ભાગ ભોગવવાનું આમંત્રણ કર્યું, તે સર્વ હારે અપરાધ આપ ક્ષમા કરે.”
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy