SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસયત નામના રાજર્ષિની કક્ષા. પછી ભયાકુલ એ રાજા અશ્વને મૂકી દઈ મુનિના ચરણમાં નમસ્કાર કરતે છતે કહેવા લાગ્યું કે “ હે મુનિ ! આ હારે અપરાધ ક્ષમા કરે. ” સમર્થ એવા મુનિ ધ્યાનમાં હતા તેથી તેમણે જ્યાં સુધી રાજાને ઉત્તર આપ્યો નહીં ત્યાં ત્યાં સુધી રાજા બહુ ભય પામવા લાગ્યું. કારણ કોષ પામેલા મુનિ પોતાની તેજેલેશ્યાએ કરીને કટિ પુરૂષને પણ બાળી નાખે છે. રાજાએ ફરી કહ્યું. “હે પ્રભુ! હું સંયત રાજા છું માટે આપ મને બોલાવે. મુનિએ કહ્યું “હે રાજન ! તને અભય હો અને તે પણ અભય આપનારે થા. હે ભૂપતિ ! આ જીવિત અનિત્ય છતાં તું નિરંતર શામાટે હિંસા કરે છે? હે રાજન ! ત્યારે રાજ્ય ત્યજી નિચ્ચે મરી જવું તે છે જ, માટે જીવલેક અનિત્ય છતાં તું રાજ્યને વિષે શા માટે મેહ પામે છે? ધન, જીવિત અને રૂ૫ વિગેરે સર્વ વિજળીની પેઠે અસ્થિર છે તે તું તેને વિષે કેમ મોહ પામે છે અને મરણ સંબંધી અર્થને કેમ નથી જાણતું ? મિત્ર, પુત્ર, સ્ત્રી અને સ્વજને એ સર્વે ગૃહપતિ જીવતાં છતાં તેની પાછળ આવે છે પણ ગૃહપતિ મૃત્યુ પામતા છતાં તેની પાછળ કઈ જતું નથી. મૃત્યુ પામેલા પિતાને પુત્રો, ઘરમાંથી ઝટ બહાર કાઢે છે તેવી જ રીતે પિતા પણ પુત્રોને કાઢે છે. આ સર્વ જાણીને મેં વ્રત આચર્યું છે. વળી તેણે એકઠું કરેલું દ્રવ્ય સ્વરક્ષિત એવી સ્ત્રીઓ અને અતિ સંતુષ્ટ ચિત્તવાળા બીજા માણસો ભેગવે છે તથા પોતે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હશે તે મર્મયુક્ત બીજા ભવને વિષે પામે છે.” સાધુનાં આવાં વચન સાંભળી સંયત ભૂમિપતિ તુરત ઉત્કૃષ્ટ સંવેગ પામે. પછી રાજ્યને ત્યજી દઈ તેણે સાવદ્ય આરંભ વર્જવા પૂર્વક ગર્દભાલિ મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈ અને હેય તથા ઉપાદેય વસ્તુના સ્વરૂપને જાણે તે સંયત મુનિ નિયમ પ્રમાણે વિહાર કક્ષા કેઈ સંધિવેશ પ્રત્યે આવ્યા. ત્યાં દેશ વિગેરે રાજ્યને ત્યજી દઈ સંયમ અંગીકાર કરનારા કેર્ટ ક્ષત્રિય મુનિએ તેમને આ પ્રમાણે કહ્યું. હે મુનીશ્વર! જેવું તમારું સ્વરૂપ દેખાય છે તેવુંજ મન પણ પ્રસન્ન દેખાચ છે. તે આપનું નામ શું? અને નેત્ર કયું? વલી હે સાધો ! સર્વ સંગ ત્યજી અનન્યા શા માટે લીધી? શા માટે સેવે છે? તેમજ વિનિત શી રીતે થયા?” સંયત મુનિએ કહ્યું. “મહારું નામ સંવત મુનિ છે. હું ગોતમ ગેબને છે અને ગર્દભાલિ મુનિ હારા ગુરૂ છે હે મુનિ ! નિરંતર ધર્મોપદેશ કરતા એવા તેમના ઉપદેશથી મને ભવને પાર પમાડનાર વિનિતપણું ઉત્પન્ન થયું છે અને એ મહાગુરૂના ગુણેથી તેમજ તેમની વાણી સાંભળવાથી હું હર્ષિત ચિત્તવાળો રહું છું.” પછી સંયતમુનિના હિતને અર્થે ક્ષત્રિયમુનિએ કહ્યું. હૈ મુનિ ક્રિયાવાદિ, અક્રિયાવાદિ વિનયવાદિ અને અજ્ઞાનવાદિ એ ચાર એકાંતવાદિ લેવાથી દુર્ગતિ પ્રત્યે જાય છે.” એમ વિશ્વને પ્રકાશકારી વચને કહે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy