SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રી જિનપાલિત” નામના મુનિવરની કથા, (૧૪૫ ) બહુ ભયબ્રાંત થએલા તે જિનરક્ષિત અને જિનપાલિત બને ભાઈઓ તેને કહેવા લાગ્યા. “હે પરોપકારી પુરૂષ! અમે જે પ્રકારે આ વિપત્તિરૂપ સમુદ્રને પાર પામીએ તે ઉપાય તું અમને બતાવ. તે પુરૂષે કહ્યું: “હે ભદ્રો ! તમે પોતાના જીવિતને ઉત્તમ ઉપાય સાંભળે. અહિંથી પૂર્વ દિશાના ઉદ્યાનમાં શેભાથી મનહર એવું એક યક્ષનું આશ્ચર્યકારી સ્થાનક છે ત્યાં અશ્વરૂપને ધારણ કરના સેલક નામે યક્ષ વસે છે. તે યક્ષરાજ આઠમ, ચાદશ અને પુનમ એ તીથિઓને વિષે હંમેશા હેટા શબ્દથી એમ કહે છે કે-હું કયા માણસને તારું અને કયા માણસને પાછું ?” માટે તમે ત્યાં જઈ તેનું પૂજન કરતા છતા રહે. જ્યારે સમય આવે તે સેલક યક્ષ “હું કયા માણસને તારું અને ક્યા માણસને પાછું ?” એમ કહે ત્યારે તમારે પોતાના જીવિતની ઈચ્છાથી અમને ઝટ તારો અને પાલન કરે, પાલન કરે” એમ કહેવું. તમે એમ કહેશે એટલે તે યક્ષરાજ તમને આપત્તિરૂપ સમુદ્રને પાર પમાડશે એ વિના બીજે કઈ ઉપાય નથી.” પછી જિનરક્ષિત અને જિન પાલિત બને ભાઈઓ શૈલિમાં વિંધાયેલા પુરૂષથી પોતાના જીવિતને ઉપાય સાંભળી હર્ષ પામતા છતા તુરત સેલક્યક્ષના મંદિર પ્રત્યે ગયા. ત્યાં તેઓ પુષ્પાદિક વડે ભક્તિથી યક્ષનું પૂજન કરતા છતા અહર્નિશ આદરથી તેનું સેવન કરવા લાગ્યા. પછી અવસરે સેલયક્ષે જેટલામાં “ હું ક્યા માણસને તારું અને ક્યા માણસને પાછું? ” એ શબ્દ કર્યો, તેટલામાં તે બને ભાઈઓએ “ હે સ્વામિન્ ! અમને પાળે અને આ મહા આપત્તિથી તારો” એમ કહ્યું. તેઓનાં આવાં વચન સાંભળી તુરત પ્રગટ થઈ યક્ષે કહ્યું: “હે માકંડી પુત્ર! સાંભળો, જે તમે હારૂં કહ્યું કરો હું તમારું પાલનાદિ કાર્ય કરું. ” બન્ને ભાઈઓએ કહ્યું: “હે યાઁદ્ર ! તમે અમારા પિતા છે. માટે તમારું હિતકારી કહેલું અમે સર્વ અંગીકાર કરશું. ” પછી યક્ષે તે બન્નેને પોતાની પીઠ ઉપર બેસારીને કહ્યું: “ તમારે પાછલ આવેલી તે દેવીના મુખ સામું જોવું નહીં. એટલું જ નહીં, પણ તેનાં વચન સાંભળી મનમાં જરાપણ રાગ કરે નહીં. નહિ તો હું તમને બન્નેને હારી પીઠ ઉપરથી અપાર એવા સમુદ્રમાં ફેંકી દઈશ. ” આ પ્રમાણે શીખામણ દઈ તે બન્ને ભાઈઓને લઈ સેલક્યક્ષ સમુદ્રમાં આકાશ માર્ગે વેગવડે ચાલ્યો, હવે અહિં રત્નદ્વીપની દેવી લવણસમુદ્રને શુદ્ધ કરી જેટલામાં પોતાના ઘર પ્રત્યે આવી તે તેણુએ તે બન્ને પુરૂને દીઠા નહીં તેથી તે બહુ આકુલ વ્યાકલ થવા લાગી. તેણુએ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં બહુ શોધખેલ કરી પણ તેઓને ક્યાંઈ દીઠા નહીં. પછી પિતાના અવધિજ્ઞાનથી મહા સમુદ્રની મધ્યે સેલકયક્ષવડે લઈ જવાતા તે બન્નેને જોઈ અત્યંત ક્રોધ પામેલી તે દુષ્ટ દેવી પિતાનું તીકણ ખડગ લઈ તત્કાલ ત્યાં આવીને કઠોર વચનથી કહેવા લાગી, ૧૯
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy