SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૮ ) શ્રીઋષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ આ પત્ર પણુ કાણે મેકલાવેલા છે તે હમણાં સ્પષ્ટ કહેા ? ” રાજપુરૂષોએ કહ્યુ. “ હે નરેશ્વર ! આદન દેશના આકિ ભૂપતિના પુત્ર આદ્રકકુમારે એ બન્ને વસ્તુ આપના માટે માકલી છે. ” એમ કહીને તે સર્વે રાજપુરૂષા, અભયકુમારને નમસ્કાર કરી ઉભા રહ્યા. પછી અભયકુમારે સત્કાર કરી રજા આપેલા સર્વે પુરૂષષ સતાષ પામતાં છતાં પાત પાતાના ઘર પ્રત્યે ગયા. આવા હવે પાછલ અભયકુમાર ભેટમાં આવેલી મુક્તાફલાદિ અમૂલ્ય વસ્તુ જોઈ હર્ષ પામતા છતા પોતે આર્દ્ર કુમારે મેકલેલા પત્ર વાંચવા લાગ્યા. “ પ્રેમ રૂપ અમૃતના સમુદ્ર સમાન હૈ બંધુ અભયકુમાર ! તમારૂં નામ સાંભલવાથી હું તમારે વિષે બહુ અનુરક્ત થયેા છું. માટે હવે પછી તમે મ્હારા મિત્ર અને ઇષ્ટ ખ છે. અહા ! સર્વથી નિવૃત્ત થયેલું મ્હારૂં મન તમારે વિષે લીન થયું છે. ” પત્રને વાંચી અભયકુમાર વિચારવા લાગ્યા. “ જો કે આ આર્દ્ર કુમાર મારી સાથે મૈત્રી કરવા ઇચ્છે છે. તેા એ નિશ્ચે આસન્નસિદ્ધિવાળા હોવા જોઇએ. કારણ મારી સાથે મહુલ કમી જીવ મૈત્રી કરતા નથી. હું જાણુ છું કે તેણે પૂર્વ ભવમાં વ્રતની બહુ વિરાધના કરી છે અને તેથીજ તે અનાર્ય દેશમાં મ્લેચ્છ કુલને વિષે ઉત્પન્ન થયા છે. માટે મ્હારે એને નિશ્ચે સર્વ ઉપાયવડે પ્રતિબેાધ પમાડવા. કારણ એમ ન કરૂં તા એને મ્હારી સાથે મૈત્રી કર્યાના લાભ શા ? ” આવી રીતે વિચાર કરીને અભયકુમારે હર્ષથી સુવર્ણની શ્રી આદિનાથની જટાવાલી રમ્ય પ્રતિમા કરાવી. પછી તેણે પધાણું ઘટાદિ નાના પ્રકારનાં ઉપકરણુસહિત તે પ્રતિમા એક પેટીમાં મૂકી પેટીને ખરાખર અધ કરી અને પેાતાના સેવકાને ખેલાવીને કહ્યુ કે “ આ પેટી લઈ તમે આદન દેશમાં જાએ અને ત્યાં આર્દ્રકિ ભૂપના પુત્ર અકકુમારને તે પેટી આપીને કહેજો કે તમારે આ પેટી એકાંતે ઉઘાડવી. તેમજ અભયકુમારના સાધુ પુરૂષોને આભૂષણરૂપ પ્રણામ અંગીકાર કરવા.” આવી અભયકુમાર મંત્રીની શિખામણુ લઇ તે રાજપુરૂષા શુભ દિવસે આદન દેશ તરફ વિદાય થયા. અનુક્રમે તેઓએ આદનદેશ પ્રત્યે જઈ આ કુમારને પ્રણામ કરી તેની આગળ પેટી મૂકીને કહ્યુ કે “ હે સ્વામિન ! આપના મિત્ર અભયકુમારે પ્રેમથી આ ભેટ આપને માકલાવી છે આપે આ પેટી એકતમાં ઉઘાડવી અને તેની અ ંદર રહેલી વસ્તુ યત્નથી લેવી. ” રાજપુરૂષોનાં આવાં વચન સાંભળી તથા પેટીરૂપ ભેટ જોઇ અત્યંત સ ંતુષ્ટ થએલા આદ્ર કુમારે તે રાજપુરૂષોને કહ્યું. “ હું ધન્ય છું, કૃતપુણ્ય છું તેમજ આજે મ્હારા જન્મ સલ થયા. કારણકે અક્ષયકુમારે આવી ભેટ મેાકલી મ્હારા ઉપર અનુગ્રહ કર્યો છે. ” એમ કહી ષિત હૃદયવાલા આ કુમારે અન્ન, વસ્ત્ર આભૂષાદિકથી તે રાજપુરૂષોને સત્કાર કરવા પૂર્વક તુરત વિદ્યાય કર્યો. પછી હર્ષિત મનવાલા આદ્ર કુમારે તે પેટીને એકતમાં લઈ જઇ ઉઘાડી તો તેમાં તેમણે પધાણું, ઘટા વિગેરે નાના પ્રકારના ઉપકરણા સહિત સુવર્ણમય શ્રી અદિનાથની પ્રતિમા દીડી. “ મ્હારા પ્રિય મિત્ર અક્ષય '
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy