SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જનબિંબ ઔ૨ જ નાગમ ભલિયાડું આધાર જિનબિંબની આરાધના અનેક રીતે થઈ શકે છે. (૧) તેનું ધ્યાન કરવાથી (૨) તેના દર્શન કરવાથી (૩) તેની પૂજા કરવાથી (૪) તેની દેખરેખ કરવાથી. આ આરાધનાઓ પ્રસિદ્ધ છે. આગળ વધીને કહું તો, તેના પર કોઈ આક્રમણ આવે, ત્યારે તેનો પ્રતિકાર કરવો એ પણ જિનબિંબની આરાધના છે. કોઈ એને અલગ સ્વરૂપમાં રજુ કરે, અને તેના મૂળ સ્વરૂપની અવગણના કરે ત્યારે, યોગ્ય ઉપાયો દ્વારા તેના મૂળ સ્વરૂપને પ્રગટ કરવું એ પણ જિનબિંબની આરાધના છે. એનો તિરસ્કાર કરનારાઓનો વિરોધ કરવો, તેમનું નિરાકરણ કરવું, એ પણ જિનબિંબની આરાધના છે. આ જિનબિંબની આરાધનાના જે જે પ્રકારો કહ્યા, તે તે પ્રકારોથી જિનાગમની પણ આરાધના થઈ શકે છે. કલ્પસૂત્રની અષ્ટપ્રકારી પૂજા કરીને તેને મોતીઓથી વધાવવું, એ પણ કલ્પસૂત્રની આરાધના છે. અને કલ્પસૂત્રના વચનોને મારી-મચડીને વિસંસ્થૂલ રૂપમાં રજુ કરવામાં આવે, ત્યારે તેનું નિરાકરણ કરીને કલ્પસૂત્રના યથાર્થ તાત્પર્યનું પ્રાકટ્ય કરવું, એ પણ કલ્પસૂત્રની આરાધના છે. પ્રસ્તુત પ્રકરણ એટલે આવી જ એક આરાધના. કેટલાક સમય પૂર્વે એક એવો મત ઊભો થયો હતો, કે જેણે જિનશાસનને બોડી-બામણીનું ખેતર સમજી લીધું. અનેક વિચિત્ર સિદ્ધાન્તો અને આચારોનું નિરૂપણ કર્યું. સુવિહિત મુનિઓ કરતાં પણ પોતાને ઉંચા દરજ્જાના ગણોવ્યા. અનેક ઉત્સુત્ર પ્રરૂપણાઓ કરી. તેમણે જે ગ્રંથોમાં આવી પ્રરૂપણાઓ કરી
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy