SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરના પ્રત્યેક રાત્રિદિવસનું પ્રમાણ. ભાવે ) રાત્રિ વર્તતી હોય એમ થન કર્યું, તો અમે પૂછીએ છીએ કે એ બને વિદેહગત ૧૨ મુહૂર્તવાળી રાત્રિ પૂર્ણ થયે ત્યાં કો કાળ હોય ? કારણ કે એ બને વિદેહગત રાત્રિમાન પૂર્ણ થયે ત્યાં નતો હેય સૂર્યનો પ્રકાશ નતો હોય ત્યાં રાત્રિકાળ ! કારણ કે ત્યાં રાત્રિ ભલે વીતી ગઈ પણ હજુ ભરત ઐરાવત ક્ષેત્રે દિનમાન અઢાર મુહૂર્તનું હોવાથી, પૂર્વા–પર બન્ને વિદેહગત રાત્રિ માનની અપેક્ષાએ હજુ ૬ મુહૂર્ત કાળ સુધી સૂર્યને ભરતક્ષેત્રમાં (અથવા એરવતક્ષેત્રમાં) પ્રકાશ આપવાનો છે અર્થાત્ ભરત–રવતક્ષેત્રે ૬ મુ પ્રમાણ દિવસ બાકી છે, તો પછી પૂર્વ–પશ્ચિમ વિદેહમાં રાત્રિકાળ વિત્યે ક કાળ સમજવો? સમાધાન–આ પ્રશ્નના સમાધાનમાં સમજવું જે–ભરતક્ષેત્રે પ્રકાશ આપતે ભારત સૂર્ય ક્રમે ક્રમે પશ્ચિમવિદેહની અન્તિમ હદ–કેટી તરફ દષ્ટિ રાખતે જ્યારે ભરતક્ષેત્રમાં પંદર મુહૂર્ત પ્રમાણ દિનમાન પૂર્ણ કરે, અર્થાત્ ભરતક્ષેત્રે ૩ મુહૂર્ત સુધી પ્રકાશ આપવો બાકી રહે ત્યારે પૂર્વબાજુથી ખસતા અને પશ્ચિમગત દૂર દૂર ક્ષેત્રમાં આગળ આગળ તેજને પ્રસાર કરતા ભારતસૂર્યના પ્રકાશે હજુ વિદેહક્ષેત્રમાં નહી પણ વિદેહક્ષેત્રની નજીક-હદના સ્થાન સુધી સ્પર્શના કરી, જ્યારે આ બાજુ તે વખતે વિદેહમાં પણ રાત્રિ પૂર્ણ થઈ નથી પણ પૂર્ણ થવાની કેટી ઉપર આવી ચૂકી છે. આ વખતે એ ભારત સૂર્ય ભરતક્ષેત્રગત સંપૂર્ણ પંદર મુહૂર્ત પૂર્ણ કરતો આગળ વધે કે તૂર્ત જ તેને પ્રકાશ પણ તેટલે તેટલે દૂર દૂર આગળ આગળ ફેંકાતો જાય (અને પાછળ પાછળથી ખસતો જાય) કારણ કે સૂર્યના પ્રકાશની પૂર્વ પશ્ચિમ-લંબાઈરૂપ પહોળાઈ જે કે દર સમયે પરાવર્તન સ્વભાવવાળી છે, પરંતુ બે પડખે તે સર્વદા સરખા પ્રમાણ વાળી જ રહે છે. તેથી સૂર્ય જેમ જેમ ખસતો જાય તેમ તેમ જ્યાં જ્યાં તે જ પહોંચી શકે–એવા આગળ આગળના જે ક્ષેત્રો ત્યાં ત્યાં પ્રકાશ કરતો જાય. આ નિયમાનુસાર અત્યારસુધી-પંદર મુહૂર્ત કાળ પૂર્ણ થવા આવ્યો હતો ત્યારે વિદેહની અંદર નહીં પણ જે છેડે–પ્રકાશ આપી રહ્યો હતો તેને બદલે પંદર મુહૂર્ત પૂર્ણ થયે હવે તેના તે જ સૂર્યના પ્રકાશે વિદેહમાં પ્રવેશ કર્યો, અર્થાત્ ભરતક્ષેત્રે ત્રણ મુહૂર્ત દિનમાન બાકી રહ્યું ત્યારે ત્યાં સૂર્યોદય થઈ ચૂક, આથી ભરતમાં અઢારમુહૂર્ત દિનમાન પૈકી અંતિમ ત્રણ મુહૂર્ત સુધી દિવસ હોય ત્યારે ત્યાંના સૂર્યોદય કાળના પ્રારંભનાં (પ્રભાતના) ત્રણ મુહૂર્ત હોય. આથી શું થયું કે ભરતઐરવતક્ષેત્રના અસ્ત સમય પૂર્વેને ત્રણ મુહૂર્ત જે કાળ તે બન્ને દિશાગત વિદેડના સૂર્યોદયમાં કારણરૂપ હોવાથી તે જ કાળ ત્યાં ઉદયરૂપે સમજવો. આ મહાવિદેહમાં જ્યાં પ્રકાશનું પડવું થાય તે સ્થાન તે મહા
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy