SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailashsagarsun Gyanmandir પુસ્તકારૂઢ રૂપ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને!! પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર વિ. સં. ૧000માં વર્ષો પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત “છ” વાચનાઓના માધ્યમે ૧000 વર્ષના ગાળામાં થયેલ શ્રુતોધ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫00 વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોદ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિત ગીતાર્થ, આચાર સંપન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમો અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી આવા અવસરે શ્રમણસંઘની ૧૮પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી ‘સાગરશાખાના અદ્વિતીય પ્રતિભા સંપન પ્રૌઢધીષણશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી. મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના “ કામો ઠી મભ્યાસ વરોવર વછરના” શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર નિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી [ સંપાર શ્રી ] For Private And Personal
SR No.021037
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Shwetambar
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagar
PublisherJainanand Pustakalay
Publication Year2005
Total Pages41
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_bruhatkalpa
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy