SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानो शिलालेख ભાષાન્તર (૧) કલિયુગમાં કલ્પતરૂ સમાન શાશ્વત શ્રેયરૂપી અત્યંત સુખના ઉદધિના શશિ સમાન, અમરતાને એક જ હેતુ, જેની ઈચ્છાથી ત્રણ જગત જાગે છે અને નિદ્રા કરે છે અને જે ચંદ્રનું રક્ષણ કરનાર રસાયણ છે તે સોમેશ્વર તમારું શ્રેય કરો. ( ૨ ) વિશ્વની વિપત્તિઓનું ઘન તિમિર હવા ઉદય થતા ઈશ્રેણીની પ્રભાની આસપાસ જાણે કે કુદતાં હોય નહી તેવાં વિસ્વરના ચરણની અતિ ઉજજવલ અને રમ્ય રક્ત આંગળીએના નખનાં કિરણે તેના જગતની તમારી અખિલ ભ્રાંતિનો નાશ કરે. ( ૩ ) હે સરસ્વતી માતા ! સર્વ પાપ હણનાર વિશ્વના સ્વામિ ગંડના ચરિતનું ઉ૫નિષદનું જ્યાં સુધી હું વર્ણન કરું ત્યાં સુધી પૂર્ણ વિકસેલા કમળ સમાન રમ્ય આ મારૂં મુખ અલંકારિત કર. (૪-૫ ) કલિયુગમાં દુષ્ટ નૃપે નીચે ધર્મ અદશ્ય થતો જઈ, પિનાકપાણિએ પિતાનાં સ્થાનને ઉદ્ધાર કરવાના અભિલાષથી સંકેત પ્રમાણે પિતાના અંશનું અવતરણ કરવા વિચાર કર્યો, અને કાન્યકુન્જના રમ્ય દેશમાં ત્રણ યજ્ઞના અગ્નિને આહુતિ અપ પિતાનાં પાપ નાશ કરનાર. અને વેદના ગ્લૅકો કે વેદાન્ત મનનથી ચિતાનો અંત આણનાર શ્રેષ્ઠ દ્વિજના ગૃહમાં જગતના કલ્યાણ અર્થે જ જન્મ લીધો. ( ૬-૭) શ્રી વિશ્વનાથમાંથી અવતરેલો તપને નિધિ, પૂર્વના સંસ્કારથી ચૌદ વિદ્યામાં બાળપણમાં અધ્યયન વિના નિપુણતા પ્રાપ્ત કરનાર અને મહાકાલદેવના મઠના ભકતોને શિષ્ય આ દ્વિજ તપ માટે અવન્તિ ગયા. (૮) વિશ્વના રૂપમાં ગુણાનું કારણ, અને શાશ્વત સુખ રૂપ શ્રેષ્ઠ અવિનાશી તત્ત્વ સાથે પિતાની એક્તા વિષે થોડાં મીંચેલાં નેત્રોથી કઠિન ધ્યાનમાં આ બ્રાહ્મણે ઘણા દિવસો બલકે ઘણુ વરસે ગાળ્યાં. (૯) મન્દરાચલ ગિરિથી મન્થન થવાથી ક્ષુબ્ધ સાગર પેઠે શત્રુ નૃપ સમાન પદધિમાંથી .. .. .. બીજે ચંડ થયો તે અહર્નિશ પ્રકાશને હતું ત્યારે તેની સેનામાંના નૃપતિઓની પત્નીઓનાં અસંખ્ય વદનકમળમાં કયું મુખ પૂર્ણ વિકસેલા કુમુદનું સૌંદર્ય ધારણ ન કરતું? ( ૧૦ ) ચન્દ્રાર્ધ શિર પર ધારનાર અવન્તિનું ભૂષણ શંકરે, તેના પાખંડ મતથી થએલી ભયંકરતાને વિચાર કરીને પિતાનાં શહેરનું રક્ષણ કરવાના અભિલાષથી કુમારપાલ નૃપને અને મઠના અધિપતિને સત્ય ઉપદેશ આપ્યો. ( ૧૧-૧૨-૧૩ ) દેવોના આ ગુરૂના ઘરમાં શશિ વિનાના સ્વર્ગ સમાન, સૂર્યવિનાના કમળ સમાન, કામદેવથી ત્યક્ત રતિ સમાન, કમલા ( લક્ષ્મી) ... .. વાદળાંથી રક્ષિત સ્વયંવરમાં પિતાના પ્રિયતમને નિત્ય શોધતી પ્રતાપદેવી નામની પુત્રી જન્મી હતી. સર્વ રૂ૫ અને વિવેકના નિવાસસ્થાન ગુરૂ ગંડની પુત્રી .. .. યજ્ઞની ભૂમિમાંથી પ્રગટેલી સીતા સમાન હતી. ઉચ્ચ અન્વયની અને એક જ સ્થળે સંકીર્ણ સર્વસુખના નિવાસ સ્થાન રૂપ એવી તેણિની, સૌંદર્યના સરોવરમાં કમલિની શ્રીપતિ વિશગુ)ની પત્ની, બાળ સરસ્વતી અને સ્મરરિપુ(શંકર)ની ... ... એમ કવિવરે વિવિધ કલપનાઓ કરે છે. ( ૧૪ ) સુરપતિના ગુરૂના ચાર પુત્રો પૃથ્વીના અલંકાર જેવા સાગર સમાન હતા અને સમસ્ત લક્ષમી અને યશનું નિવાસ સ્થાન હતા. તેમાં જઇ અપરાદિત્ય હતો તેમાંથી પિતાના. શત્રુઓના મનેરના મહા દુદૈવ સમો ધર્માદિત્ય હતે _ ( ૧૫ ) તેને ધર્મને માર્ગ અનુસરનાર અને પાપથી અસ્પર્શિત સેમેશ્વરદેવ પુત્ર હતો. તેને અનુજ કામદેવને દર્પ ઉતારનારે રૂપવાળ ભાસ્કર કહેવાતું હતેા. (૧૬) શ્રી કાશીશ્વર, શ્રીમાલવપતિ, શ્રી સિદ્ધરાજ અને અન્ય ગૃપે તેને ભૂમિ પર ધર્મને નાયક માની તેની શ્રદ્ધાથી પૂજા કરતા. વેદી સમાન ભૂમિ પર અગ્નિ જેવા પ્રકાશિત અને ઉજજવળ શ્રી ભાવબૃહસ્પતિ તેના વેદ સમાન ચાર પુત્ર સહિત બ્રહ્મા જેમ પૂજા સ્થાન થયો. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy