SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૫૧ અજયપાલનાં તામ્રપત્રો વિ. સ. ૧૨૩ કા સુ. ૧૧ આ પતરાં એપ્રિલ ૧૮૮૩ માં મુંબઈ સેક્રેટરીએટમાંથી જોવા મળ્યાં હતાં તે ઉપરથી આંહી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે ક્યાંથી મળ્યાં અને તેની માલિકીનાં છે તે માલુમ નથી. પર બે છે અને અંદરની બાજુએ કેતરાયા છે. તેનું માપ ૧૪ ઈંચ ઈંચ છે. કેર વળેલી છે અને તેથી લખાણ સુરક્ષિત અને સ્પષ્ટ છે. પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ બે કડી માટે કાણુ છે પામુ એક જ કડી હયાત છે, જે ઈંચ જાડી અને ૨ વ્યાસવાળી છે. સીલનું નામનિશાન નથી. બીજી પતરામાં ડાબી બાજુએ લખાણની અંતે સૂર્ય, ચંદ્ર અને બેઠેલા દેવનાં ચિત્ર છે. દેવને ચાર હાથ અને ચાર માથાં છે અને કમળ ઉપર બેઠેલા છે તેથી બ્રહ્મા હશે એમ અનુમાન થાય છે. પરાંનું વજન ૧૦ પા. ૧ આઉસ છે અને કડીનું ૩ આઉસ છે, લિપિ લેખના સમય અને સ્થળમાં ચાલતી નાગરી છે. પતરાં જાડાં છે. અને કોતરકામ સારી રીતે કરવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે, પ્રતાવના તેમ જ અંતના ઑકો સિવાય લેખને બધે ભાગ ગદ્યમાં છે. લેખ ચાલુકય રાજા અજયપાલના રાજ્યને લગતો છે, પણ દાન આપનાર ચાહુમાન ચાહુયાન વંશના મહામંડલેશ્વર વૈજલ્લદેવનું નામ પંક્તિ ૧૭ માં આપેલ છે. તે નર્મદાના કાંઠા ઉપરના પ્રદેશને રાજા હતું અને બ્રાહ્મણ પાટકમાંથી દાન આપવામાં આવ્યું હતું. દાનમાં એક સત્રાગારને બ્રાહ્મણને ભોજન માટે ગામ આપવામાં આવેલ છે. લેખમાં સ્થળાનાં નામ નીચે મુજબ છે. અજયપાલની રાજધાની અણહિલપાટક, વેજલદેવનું ગામ બ્રાહ્મણ પાટક, દાનમાં અપાએલું ગામ આલવિડગાડુ જે પૂર્ણ પથકમાંના માખુલ ગામ નજીક આવેલું હતું તે અને ખંડેહુક ગામ જેમાં રાત્રાગાર આવેલું હતું. અણહિલપાટક વિ. સ. ૮૦૨ માં સ્થપાયું હતું અને અત્યારે પાટણ નામે પ્રસિદ્ધ છે. બીજા સ્થળે ઓળખી શકાયાં નથી. લેખમાં બે તિથિઓ આપેલી છે. પં. ૧૧ માં વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૧ સોમવાર આપેલ છે તે દિવસે દાન આપેલ હોવું જોઈએ. પંક્તિ ૩૧ માં ઘણું કરીને દાનપત્ર લખાયાની તારીખ વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૩ બુધવાર આપેલ છે. આ સંવત બરોબર ઈસવી સન ૧૧૭૩-૭૪ થાય છે. પ્રો. કે. એલ. છનાં પત્રક અનુસાર કાર્તિક સુ, ૧૧ ને ૧૩ ને દિવસે સોમવાર અને બુધવારે સં. ૧૨૩૧ કે ૧ર૩ર માં આવતા નથી, પણ ૧૧૩૩ માં આવે છે તેથી સાલમાં ભૂલ થએલી લાગે છે અને ૧૧૩૨ ને બદલે ૧૧૩૧ ગત વર્ષ લખાયું લાગે છે. તામ્રપત્ર બનાવટી માનવાનું કાંઈ સબળ કારણ નથી તેથી ભૂલ થઈ હશે એમ જ માનવું જોઈએ મી. એ. બી. દીક્ષિત તેમ જ ફેસર કીહાને પણ તે જ મતના છે. - ઈ એ. જે. ૧૮ ૫. ૮૦ જે. એફ. ફલીટ. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy