SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ' (૧૩) તેણે ( મારપાલે છે તેના સ્વહસ્તથી તેને અલંકાર કર્યો. તેના કંઠપર મૌક્તિક માળા મૂકી, બે ચરણને ચંદનને લેપ કર્યો, આદરથી શિષ તેની આગળ નમાવ્યું, મમતા મૂકી તેને પિતાની મુદ્રા આપી, અને પુરાણ ધર્મનું પાલન થતું, અને નિત્ય અન્ન વહેંચાતું તે સ્થાનનું દાન કર્યું. (૧૪) કલાસ પર્વત સમાન શંકરનું દેવાલય બનેલું જોઈ નૃપે અતિ પ્રસન્ન થઈ મહામતિવાળા શ્રીમદ્ ગંડને આ પ્રમાણે કહ્યું.–“હું તમને ગંડનું પદ તમારા પુત્રો પૌત્રોને શશિ, તારા અને સૂર્યના અસ્તિત્વ કાળ સુધી અર્પણ કરું છું. (૧૫) સર્વને સ્વામી અને ગુણને નિધિ તેવા ગંડનું મંદિર સેમરાજે સુવર્ણથી બનાવ્યું રાવણ સમાન બલવાન કૃષ્ણ રૂપાનું બનાવ્યું અને શ્રી ભીમદેવે મેટા સરસ પત્થર અને ઘણું રથી જડિત બનાવ્યું. સમય જતાં તે જીર્ણ થવાથી તેને ઉદ્ધાર છે અને મહાન વિખ્યાત નૃપથી થયે અને મેરૂ નામ અપાયું. (૧૬) અતિ પ્રસન્ન થયેલા ગુર્જર દેશના નૃપે વૃક્ષ, જળ વગેરે સહિત બ્રહ્મપુરી નામનું ગામ આખી સભા સમક્ષ ત્રાંબાના પતરા ઉપર લેખિત શાસનથી પુત્ર, પૌત્રો અને વંશજેને પ્રતિબંધ વિના ઉપગ માટે આપ્યું. (૧૭) બૃહસ્પતિ સમાન આ ગંડે સોમની વ્યવસ્થાથી( સહાયથી ) મંદિર પુનઃ બાંધ્યું. એથી સ્પષ્ટ થાય છે કે પૂર્વે કદિ આવે પુરૂષ થયો નથી અને ભાવિમાં થશે નહિ. (૧૮) આ મંદિરનો નાશ રાજાઓના દુષ્ટ, કંમતિ, અને લેભથી અંધ થએલા સચિવોથી થયે હતે ! તેને ઉદ્ધાર ભૂમિને દાંત પર ધારણ કરનાર મહાન વરાહ ભગવાનની સ્પર્ધા કરતા હોય તેવી રીતે લીલા માત્રમાં ગુરૂ ગડે કર્યો. ' (૧૯) તે પ્રતાપીથી નૃપની સમક્ષ કયા શત્રુઓ અજિત રહ્યા હતા ? કેનાં મુખ કલંક વિનાનાં રહ્યાં હતાં ? કોને દર્પ ઉતર્યો ન હતો ? કોની સ્થિતિ તેમના મસ્તક પર તેને ચરણ મૂકીને બલથી તેણે હલાવી ન હતી ? અને ક્યા શત્રુઓ ભિક્ષુક થયા ન હતા? (૨૦) આ વિશ્વને કુંભ બાહ્ય ભાગમાં તેના સદગુણોથી સારી રીતે દબાયે ન હોત તે જરૂર છે તેની અંદરના મહાન યશથી ફૂટી જાત. | (ર૧)ખરે ખર! ઈન્ડે તેનું રૂપ નિહાપવા સહસ્ત્ર ચક્ષુ ધારણ કર્યા છે, બ્રહ્માને તેના અસંખ્ય ગુણનું ગાન કરવાના નિશ્ચયથી ચાર મુખ ધારવાં પડ્યાં છે. તેના મહિમાથી ધ્રુજેલી પૃથ્વી પર્વતેથી સ્થાનમાં રખાઈ છે. અને પૃથ્વી ને સમાવી શકે તે યશ સમાવવા ત્રણ ભુવન સજેલાં ભાસે છે. (૨૨) યશની પ્રાપ્તિના અભિલાષથી તેણે ચાર વર્ણનાં ચાર બાહ્ય અને ચાર અત્યંતર કર્મોને ઉદ્ધાર કરીને પ્રત્યેક વર્ણને એક એક આપ્યાં. (૨૩) મર્યાદા નિર્માણ કરીને દેવાલયના યોગ્ય સ્થાનના ઉદ્ધાર માટે તેણે પાંચ પંચાવન (૫૫૫) સંતેની પૂજા કરી. (૨૪) મંદિરની દક્ષિણમાં અને ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવી નગરને વિસ્તાર કર્યો. (૨૫) ગૌરી, ભીમેશ્વર, કપર્દ (શિવ), સિદ્ધેશ્વર વગેરે દેવનાં મંદિર) પર તેણે સુવર્ણના કળશ મૂક્યા. (૨૬) નરેને એકત્ર ભેગા મળવા માટે દરબાર બનાવે. રસેડાં અને સ્નાન માટે શુદ્ધ જળ માટે સરસ્વતિને વાપી બંધાવ્યું. (૨૭) શંકરના મંદિરના અગ્ર સ્થાનમાં સુંદર સ્તંભના આધારવાળે એક એારડે બનાવ્યો અને રૂપાના જલમાર્ગવાળું મંકના આકારનું શિવનું આસન બનાવ્યું. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy