SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૩ ચૌલુક્ય રાજા કર્ણ ૧ લાનું સૂનકનું દાનપત્ર વિક્રમ સંવત ૧૧૪૮ વૈશાખ સુદિ ૧૫ સે.મવાર મી. એચ. કરંને કપા કરી મોકલેલી બે ઉત્તમ છાપ પરથી નીચેનો લેખ પ્રસિદ્ધ કર્યો છે. આ લેખ બે તામ્રપત્રના અંદરના ભાગમાં કોતરેલે છે. આ પતરાં સૂનકમાંથી મળ્યાં હતાં, જે સૂનક ગામ ઉત્તર ગુજરાતમાં પાટણના અગ્નિકાણમાં પર્વ આશરે ૧૫ માઈલ ૫૨, અને ઉંઝાર રેલ્વેસ્ટેશનથી પશ્ચિમમાં આશરે ૫ માઈલ પર આવેલું છે. આ પતરાં હાલ પાટણના રહીશ મી. નારાયણુ ભારતીના કબજામાં છે. જ્યારે મી. સેન્સે પતરાંની નકલ લીધી ત્યારે તે એક કડી વડે જોડેલાં હતાં. તે કડી કેટલાક વખત પહેલાં ભાંગેલી હતી. બીજી કડી, જેના ઉપર કદાચ મુદ્રા હશે તે ખોવાઈ ગઈ હતી. છાપ ઉપરથી અનુમાન કરતાં પતરાં સંપૂર્ણ રીતે સુરક્ષિત જણાય છે. લેખ સંસ્કૃત ગદ્યમાં છે. દાનપત્રની તારીખ વિક્રમ-સંવત્ ૧૧૪૮ ના વૈશાખ સુદિ ૧૫ સેમવારે થએલા ચંદ્રગ્રહણની છે. આ તારીખની ગણત્રી મી. ફલીટે નીચે પ્રમાણે મને કરી આપી છેઃ– “આ તારીખને મળતી સુરેપની તારીખ ઈ. સ. ૧૦૯૧ ના મે મહિનાની તા. ૫, સોમવારની છે. આ દિવસે ચંદ્રગ્રહણ હતું. તે ઉત્તરનું વિકમ-હત ૧૧૪૮ મું છેજે પૂરું થયું હતું અગર દક્ષિણુનું વિકમ-સંવત ૧૧૪૭ નું, જે ચાલતું હતું, જેના વૈશાખની પૂર્ણિમાની તિથિ હતી. મુંબઈ માટેના સૂર્યોદયના કાળ પછી ૫૦ ઘડી અને ૫ પળે આ તિથિને અંત આવ્યેા હતા, તેથી ગ્રતુણું હિંદુસ્તાનમાં દેખાવું જોઈએ. દક્ષિણના પૂરા થયેલા વિકમ-સંવત ૧૧૪૮ માં તેજ તિથિએ, ઈ. સ. ૧૦૯૨ નાં એપ્રિલની ૨૪ મી તારીખે ગ્રહણું હતું. ઉત્તરના ચાલુ વિક્રમ સંવત ૧૧૪૮ માં આ તિથિએ ગ્રહણ નહોતું.” | દાન આપનાર મહારાજાધિરાજ કર્ણદેવ હતો. તેનું ઉપનામ યમલ હતું. ડૉ. બુહુરના મત પ્રમાણે વિક્રમ-સંવત ૧૧૨૦ થી ૧૧૫૦ સુધી રાજ કરનારે ચાલુક્ય રાજ કર્ણ ૧ લે આ દાનપત્રને કહ્યું છે. રાજાએ અણહિલપાટકમાંથી આ શાસન જાહેર કર્યું હતું, અને આનંદપુર મુખ્ય શહેરવાળા એક ૧૨૬ ગામના મડાલમાં વસનારાઓને સંબોધાએલું છે. દાનમાં લઘુ-ડાભી એટલે નાની ડાભીમાં એક જમીનનો ટુકડો આપે હતો, જેની ઉપજમાંથી સૂનકમાં એક તળાવ ચાલુ રાખવાનું હતું. લઘુ-ડાભીમાં આપેલી જમીનની વાયવ્ય કોણમાં સંડેરા ગામ આવ્યું હતું. અણહિલપાટક ચૌલુકોનું મુખ્ય શહેર અડિલવાડ છે, અને આનંદપુર હાલનું વડનગર છે. સૂનક ગામ જ્યાંથી પતર મળ્યાં હતાં તે હાલનું સુનક છે. લેખના અંતમાં લેખક અને દૂતકનાં નામ તથા રાજાની સહિ આપેલી છે. લેખક કેક, કાયસ્થ વટેશ્વરને પુત્ર હતા. આ વટેશ્વર, અને ભીમ ૧ લાના વિકમ-સંવત ૧૦૮૬ના દાનપદને લેખક, કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર એ બન્ને એક જ લાગે છે. અહિ નેંધ લેવી જોઈએ કે, થોડા વખત પહેલાં મી. ફલીટે પ્રસિદ્ધ કરેલું ભીમદેવનું દાનપત્ર ભીમ ર જાનું નહીં પણ ભીમ ૧ લાનું જણાય છે. કારણ કે તે આ જ વટેશ્વર, કાયસ્થ ૧ એ. ઈ. વિ. ૧ પા. ૩૧૬ ઈ. હુઝ ૨ આ ગામ એક પછીના ચૌલુકય દાનપત્રમાં પણ આવે છે; ઈ. એ છે. પા. ૨૧૦ અને ધો. ૧૮ પા, ૧૦૮, સિદ્ધપુરથી દક્ષિણે શા માઈલ ૫૨ આવેલું એક મોટું ગામ છે, અને ઘણું કરીને ગુજરાતના કડવા કુલીઓ અથવા કણબીઓનું મૂળસ્થાન ગણાય છે. - બર્જેસની ગુજરાતની મુસાફરી સંબંધી કાટ ૧૮૬૯ ૫, ૫૩-૬2. ૩ ઈ. એ. ૬ પા. ૧૯૪. ૪ ઇ. એ. વી. ૧૮ ૫ ૧૦૮. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy